અમદાવાદ
ગાંધીનગર અને અમદાવાદમાં ેં-૨૦ મેયર સમિટની શરૂઆત થઈ છે. જેમાં ૩૫ થી વધુ દેશોના ૧૫૦થી વધારે ડેલિકેટ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. જેઓ આજે સવારે અમદાવાદ હેરિટેજ વોકનું આયોજન કરાયુ છે. ત્યાર બાદ ૧૫૦ થી વધારે ડેલિકેટ આજે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ તેમજ અટલ ફૂટ ઓવરબ્રિજ ની મુલાકાત લેવાના છે. જેના પગલે આજે ૨ વાગ્યાથી અટલ બ્રિજ જાહેર જનતા માટે બંધ કરાયો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ેં૨૦ મેયર સમિટ અંતર્ગત વિદેશથી આવેલા ડેલિકેટ સાબરમતી રીવર ફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેવાના હોવાથી જાહેર જનતા માટે સાબરમતી રિવરફ્રન્ટ અને ફુટ ઓવરબ્રિજ બંધ રાખવામાં આવશે.


