Gujarat

સાવરકુંડલામાં દેવળા ગેઈટ પાસે આવેલ શ્રીકૃષ્ણ ગૌશાળા દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાની લૂલી લંગડી બિમાર અને અશક્ત ગાયોના નિભાવ માટે દાન ફાળો એકઠો કરવા માટે સંસ્થાના સભ્યો મંડપ કાઉન્ટર  નાખીને બેઠા

સાવરકુંડલામાં ડાયમંડ ક્ષેત્રે અનોખી પહેચાન ધરાવતાં યોગેશ્વર ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝના દેવચંદભાઈ કપોપરાએ ગાયોના ઘાસચારા માટે રૂપિયા અગિયાર હજારનું માતબર અનુદાન કરેલ..
શ્રીકૃષ્ણ ગૌશાળા દેવળાગેઈટ ખાતે મકરસંક્રાતિ નિમીતે ગૌશાળાની ગાયો માટે સભ્યો દ્રારા ફાળો કરવામાં આવેલ.  દાન માટે ઉતમ પર્વ એટલે મકરસંક્રાતિ આ દિવસે દાનપૂણ્યનુ વિશેષ મહત્વ હિન્દુ શાસ્ત્ર પુરાણ મા દર્શાવેલ છે. જે અંનુસંધાને ગૌશાળાના પ્રમુખ અને સભ્યો દ્રારા મકરસંક્રતિનો ફાળો કરવામાં આવેલ.વર્ષમાં ફકત એક વાર ગૌશાળા માટે ફાળો કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ રાજુભાઈ બોરીસાગરની આગેવાની અને માર્ગદર્શનથી છેલ્લા અઠવાડીયાથી સભ્યો દ્રારા સાવરકુંડલાના વેપારીઓ પાસેથી દાન એકત્રિત કરવામાં આવેલ. મકરસંક્રાતિના દિવસે કમીટી દ્રારા મંડપ અને કાઉન્ટર નાખી ફાળો લેવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ. સાવરકુંડલા ના ગૌપ્રમીઓ દ્રારા સ્વયંભુ માતબાર રકમનું દાન આપવામા આવેલ. ગૌશાળાની સ્થાપનાથી જેમનુ અવિરત યોગદાન મળતુ રહે છે. તેવા યોગેશ્વર ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝના દેવચંદભાઈ કપોપરા દ્રારા ૧૧૦૦૦- અગીયાર હજારનું દાન મળેલ છે.આ ગૌશાળાની લુલી લંગડી અંધ બિમાર ગાયો માટે દાન આપનાર દરેક ગૌપ્રમીઓનો શ્રીકૃષ્ણ ગૌશાળા પરિવાર ખુબ ખુબ આભાર માને છે. ગૌમાતાને પ્રાર્થના કરીએ કે દરેક દાતાશ્રીઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય. આ વખતે શ્રીકૃષ્ણ ગૌશાળામાં મકરસંક્રાતિ નિમીતે અંદાજીત બે લાખ આજુબાજુ દાન મળેલ છે તેવી એક અખબારી યાદીમાં ગૌશાળાના મંત્રી બળવંતભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું

IMG-20240115-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *