Gujarat

કેરળની એક કોર્ટે ૧૫ લોકોને મોતની સજા સંભળાવી

ભારતીય જનતા પાર્ટી ઓબીસી નેતા રંજીથ શ્રીનિવાસનની હત્યાના સંબંધમાં ૧૫ દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી

કેરળની એક કોર્ટે કુલ ૧૫ લોકોને મોતની સજા સંભળાવી છે. તે બધા પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના છે. આ તમામ ૧૫ દોષિતોને ભારતીય જનતા પાર્ટી ઓબીસી નેતા રંજીથ શ્રીનિવાસનની હત્યાના સંબંધમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ ૧૪ દોષિતો સિવાય હાઈકોર્ટે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે જીડ્ઢઁૈં સાથે સંકળાયેલા એક કાર્યકરને પણ ફાંસીની સજા સંભળાવી છે. આ રીતે શ્રીનિવાસનની હત્યા કેસમાં કુલ ૧૫ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેરળની અલપ્પુઝા એડીજે કોર્ટે રણજીત શ્રીનિવાસનની હત્યાના દોષિત આ તમામ ૧૫ ઁહ્લૈં અને જીડ્ઢઁૈં સભ્યોને મૃત્યુદંડની સજા સંભળાવી છે.

માવેલીકારાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીદેવીએ આ સજા સંભળાવી છે. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ના ??રોજ, ભાજપના ર્ંમ્ઝ્ર મોરચાના રાજ્ય સચિવ શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી. ઁહ્લૈં અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (જીડ્ઢઁૈં) સાથે સંકળાયેલા કાર્યકર્તાઓએ શ્રીનિવાસન પર તેમના પરિવારની સામે તેમના ઘરે હુમલો કરીને તેમની હત્યા કરી હતી. જીડ્ઢઁૈં નેતા કેએસ શાન બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવામાં આવી હતી. ૧૮ ડિસેમ્બરે કેએસ શાનની એક ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

આ હત્યાના થોડા જ કલાકોમાં ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રીનિવાસન અલપ્પુઝા સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એ ઈસ્લામિક રાજકીય સંગઠન હતું. તેની ઉગ્રવાદી પ્રવૃત્તિઓ દ્વારા લઘુમતી રાજકારણને કારણે સપ્ટેમ્બર ૨૦૨૨માં ઁહ્લૈં પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારના ગૃહ મંત્રાલયે ેંછઁછ હેઠળ આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે. જીડ્ઢઁૈં એટલે કે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા એક રાજકીય પક્ષ છે. તેની સ્થાપના જૂન ૨૦૦૯માં કરવામાં આવી હતી.

File-01-Page-07-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *