Gujarat

ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ૧૪૬૭૨ યાત્રિકોને જરૂરી  આરોગ્ય સારવાર અપાઈ

ગિરનાર લીલી પરિક્રમમાં આવેલા ૧૪૬૭૨ યાત્રિકોને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે.

ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કિલોમીટર લાંબા રૂટ પર તંત્ર દ્વારા ૧૦ જેટલા હંગામી દવાખાનાઓ યાત્રિકોની સારવાર માટે શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકોના આરોગ્યની દરકાર માટે ૧૬ જેટલી મેડિકલ ટીમ સાથે સેવારત છે.

ગિરનાર લીલી પરિક્રમામાં તા.૧૧,૧૨ અને ૧૩ નવેમ્બર સુધીમાં ૧૪૬૭૨ યાત્રિકોને તાવશરદી-ઉધરસશરીરના દુ:ખાવા વગેરે દર્દોમાં જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર જીણાબાવાની મઢીસરકડિયાના ઘોડી વિસ્તારમાળવેલા વિસ્તારમાળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટશ્રવણની કાવડના નળપાણી વિસ્તારનળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટબોરદેવી વિસ્તારબળદેવી મંદિરભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક પર હંગામી દવાખાના કાર્યરત છે. ઉપરાંત ભવનાથના નાકોડા ખાતે તાત્કાલિક સારવાર પણ ઉપલબ્ધ છે.

આકસ્મિક સંજોગોમાં દર્દીને નજીકના દવાખાના પહોંચાડવા માટે ૧૨ જેટલી એમ્બ્યુલન્સ પણ પરિક્રમા રૂટ પર ડેપ્યુટેડ છે.