National

મહાકુંભમાં મૌની અમાવસ્યા પર ૧૦ કરોડ ભક્તો આવવાની ધારણા, CM યોગીએ વ્યવસ્થાની સમીક્ષા કરી, મહાકુંભની વ્યવસ્થાઓને વધુ સુધારવાના નિર્દેશ આપ્યા

૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસરે ૮ થી ૧૦ કરોડ ભક્તો મહા કુંભમાં હાજરી આપે તેવી શક્યતા છે. જેને લઈને સીએમ યોગી આદિત્યનાથે મહાકુંભની વ્યવસ્થાઓને વધુ સુધારવાના નિર્દેશ આપ્યા છે. મહાકુંભમાં ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસરે ૮ થી ૧૦ કરોડ ભક્તો હાજરી આપે તેવી શક્યતા છે. જેને લઈને ઝ્રસ્ યોગી આદિત્યનાથે મહાકુંભની વ્યવસ્થાઓને વધુ સુધારવાના નિર્દેશ આપ્યા છે.

બુધવારે સરકારી સ્તરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે ભૂતકાળના મુખ્ય સ્નાન ઉત્સવોની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, પોષ પૂર્ણિમા અને મકરસંક્રાંતિના સ્નાનના તહેવારો પર ૬ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ભક્તોની સુવિધા માટે રેલ્વે સાથે સંકલન કરીને મહાકુંભ વિશેષ ટ્રેનોનું સમયસર સંચાલન સુનિશ્ચિત કરવું જાેઈએ. તેમણે નિયમિત અને વિશેષ ટ્રેનોની સંખ્યા વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

તેમજ બસો, શટલ બસો અને ઈલેક્ટ્રીક બસોની સુચારૂ કામગીરી ચાલુ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. સીએમ યોગીએ મેળાના વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક સુધારવા, શૌચાલયની નિયમિત સફાઈ, ઘાટ પર બેરિકેડિંગ અને તમામ ક્ષેત્રોમાં ૨૪×૭ વીજળી અને પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, અગ્ર સચિવ ગૃહ અને માહિતી, અગ્ર સચિવ શહેરી વિકાસ, ચેરમેન પાવર કોર્પોરેશન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ મેળાના વિસ્તારમાં મોબાઈલ નેટવર્કને વધુ બહેતર બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી અને બસો, શટલ બસો અને ઈલેક્ટ્રીક બસોના સતત સંચાલન પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શૌચાલયની નિયમિત સફાઈ થવી જાેઈએ, ઘાટ પર બેરિકેડેડ હોવા જાેઈએ અને તમામ ક્ષેત્રોમાં ૨૪×૭ વીજળી અને પીવાનું પાણી પૂરું પાડવું જાેઈએ. આ બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, મુખ્ય સચિવ ગૃહ અને માહિતી સંજય પ્રસાદ, અગ્ર સચિવ શહેરી વિકાસ, પાવર કોર્પોરેશનના ચેરમેન અને માહિતી નિયામક શિશિર સહિત ઘણા અધિકારીઓ હાજર હતા.