પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ૧૯ સફળ હપ્તા પૂર્ણ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બિહારના ભાગલપુરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો ૧૯મો હપ્તો જાહેર કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ૧૯માં હપ્તાની ફાળવણી મારફતે દેશભરમાં ૨.૪૧ કરોડ મહિલા ખેડૂતો સહિત ૯.૮ કરોડથી વધારે ખેડૂતોને લાભ થશે. જેને કોઈ પણ વચેટિયાઓની સંડોવણી વિના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધારેની સીધી નાણાકીય સહાય પ્રાપ્ત થશે, જે ખેડૂતોનાં કલ્યાણ અને કૃષિ સમૃદ્ધિ માટે સરકારની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરશે. આ હપ્તાથી, આ યોજના રાષ્ટ્રવ્યાપી ખેડૂતોને ટેકો આપશે અને ગ્રામીણ વિકાસ અને કૃષિ સમૃદ્ધિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વધુ પુષ્ટિ આપશે.
અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં ૫ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો ૧૮મો હપ્તો જારી કર્યો હતો. આ નોંધપાત્ર ઘટનાથી દેશભરમાં ૯.૪ કરોડથી વધુ ખેડૂતોએ પ્રત્યક્ષ નાણાકીય લાભો મેળવ્યા હતા, જેની રકમ રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુ હતી.
પીએમ-કિસાન યોજના કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. જેની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી દ્વારા ફેબ્રુઆરી, ૨૦૧૯માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ જમીન ધરાવતાં ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. આ યોજના હેઠળ દર વર્ષે રૂ. ૬,૦૦૦/- નો નાણાકીય લાભ ત્રણ સમાન હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે ખેડૂતોનાં આધાર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં હસ્તાંતરિત કરવામાં આવે છે.
ખેડૂત-કેન્દ્રિત ડિજિટલ માળખાગત સુવિધાએ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ પણ વચેટિયાઓની સંડોવણી વિના આ યોજનાનો લાભ દેશભરના તમામ ખેડૂતો સુધી પહોંચે. લાભાર્થીઓની નોંધણી અને ખરાઈ કરવામાં સંપૂર્ણ પારદર્શકતા જાળવી રાખીને ભારત સરકારે ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી ૧૮ હપ્તાઓમાં રૂ. ૩.૪૬ લાખ કરોડથી વધારેનું વિતરણ કર્યું છે.
ઉદ્દેશોઃ-
લઘુ અને સીમાંત ખેડૂતો (એસએમએફ)ની આવક વધારવાનાં ઉદ્દેશ સાથે પીએમ-કિસાન યોજનાનો ઉદ્દેશ નીચે મુજબ છેઃ
• પાકની યોગ્ય તંદુરસ્તી અને યોગ્ય ઉપજ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઇનપુટ્સની ખરીદીમાં એસએમએફની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવી, જે દરેક પાક ચક્રના અંતે અપેક્ષિત ખેતીની આવકને અનુરૂપ હોય છે.
• આ તેમને આવા ખર્ચને પહોંચી વળવા માટે શાહુકારોની ચુંગાલમાં પડવાથી પણ બચાવશે અને તેમની ખેતીની પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની ખાતરી કરશે.
તકનીકી પ્રગતિઓઃ-
આ યોજનાને વધુ કાર્યક્ષમ, અસરકારક અને પારદર્શી બનાવવાના ઉદ્દેશ સાથે ખેડૂત કેન્દ્રિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારા કરવામાં આવ્યા છે. જેથી કોઈ પણ વચેટિયાની સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચી શકે.
પીએમ-કિસાન મોબાઈલ એપ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. વધુ પારદશિર્તા અને વધુ ખેડૂતો સુધી પહોંચવા પર ભાર મૂકીને આનો વિકાસ કરવામાં આવ્યો છે. પીએમ-કિસાન મોબાઇલ એપ પીએમ-કિસાન વેબ પોર્ટલને સરળ અને અસરકારક વિસ્તરણ પ્રદાન કરે છે. ૨૦૨૩માં, એપ્લિકેશનને વધારાના “ફેસ ઓથેન્ટિકેશન ફીચર” સાથે લોન્ચ કરવામાં આવી હતી. આને કારણે અંતરિયાળ ખેડૂતો ઓટીપી કે ફિંગરપ્રિન્ટ વિના પોતાનો ચહેરો સ્કેન કરીને ઇ-કેવાયસી કરી શકતા હતા.
પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન સેલ્ફ-રજિસ્ટ્રેશન, બેનિફિટ સ્ટેટસ ટ્રેકિંગ અને ફેસિયલ ઓથેન્ટિકેશન-આધારિત ઇ-કેવાયસી જેવી સેવાઓ પ્રદાન કરે છે. અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતો ફેસ સ્કેન દ્વારા ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે, જેમાં પડોશીઓને મદદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
રજિસ્ટ્રેશનની સુવિધા આપવા અને ફરજિયાત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ૫ લાખથી વધારે કોમન સવિર્સ સેન્ટર્સ (સીએસસી)ને ઓનબોર્ડ પર મૂકવામાં આવ્યાં છે. વધુમાં, પોર્ટલ પર એક મજબૂત ફરિયાદ નિવારણ પ્રણાલીની સ્થાપના કરવામાં આવી હતી અને એઆઈ ચેટબોટ, કિસાન-એ-મિત્રા, જે સપ્ટેમ્બર ૨૦૨૩માં શરૂ કરવામાં આવી હતી. તે ચુકવણી, નોંધણી અને પાત્રતા સંબંધિત સ્થાનિક ભાષાઓમાં ત્વરિત ક્વેરી રિઝોલ્યુશન પ્રદાન કરે છે. ખેડૂતો તેમના પડોશના ૧૦૦ અન્ય ખેડૂતોને તેમના ઘરના દરવાજે ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે પણ મદદ કરી શકે છે. આ ઉપરાંત ભારત સરકારે ખેડૂતોનું ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સુવિધા પણ રાજ્ય સરકારના અધિકારીઓને આપી છે. જેમાં દરેક અધિકારીને ૫૦૦ ખેડૂતો માટે ઈ-કેવાયસી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
પીએમ-કિસાન ૈં ચૅટબોટઃ-
૨૦૨૩માં, પીએમ-કિસાન યોજના માટે એઆઈ ચેટબોટ શરૂ કરવામાં આવી હતી. જે કેન્દ્ર સરકારની મુખ્ય ફ્લેગશિપ યોજના સાથે સંકલિત પ્રથમ એઆઈ ચેટબોટ બની હતી. એઆઈ ચેટબોટ ખેડૂતોને તેમના પ્રશ્નોના ત્વરિત, સ્પષ્ટ અને સચોટ જવાબો પૂરા પાડે છે. તે ઈદ્ભસ્ટેપ ફાઉન્ડેશન અને ભાષિનીના ટેકાથી વિકસિત અને સુધારવામાં આવ્યું છે. પીએમ-કિસાન ફરિયાદ વ્યવસ્થાપન વ્યવસ્થામાં એઆઈ ચેટબોટની રજૂઆતનો ઉદ્દેશ ખેડૂતોને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ અને સુલભ પ્લેટફોર્મ સાથે સશક્ત બનાવવાનો છે.
પીએમ કિસાન મોબાઇલ એપ મારફતે સુલભ એઆઇ ચેટબોટ ભાષિની સાથે સંકલિત છે. જે બહુભાષીય સમર્થન પ્રદાન કરે છે અને પીએમ કિસાન લાભાર્થીઓની ભાષાકીય અને પ્રાદેશિક વિવિધતાને પૂર્ણ કરે છે. ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’નો આશય અવાજ-આધારિત સુલભતા સહિત ભારતીય ભાષાઓમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ સુલભતા સક્ષમ બનાવવાનો છે તથા ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ તૈયાર કરવામાં મદદ કરવાનો છે. અદ્યતન ટેકનોલોજીનું આ એકીકરણ માત્ર પારદર્શકતા જ નહીં વધે પરંતુ ખેડૂતોને સુમાહિતગાર ર્નિણયો લેવા માટે પણ સશક્ત બનાવશે.
આ ઉપરાંત પોસ્ટ વિભાગ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતો માટે મોબાઇલ નંબરને આધાર સાથે જોડવા/અપડેટ કરવાની સુવિધા પણ પ્રદાન કરે છે. આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે છે.
યોજનામાં નાંધણી માટે જરૂરી ફરજિયાત માહિતીઃ
• ખેડૂત/પતિ-પત્નીનું નામ
• ખેડૂત/પતિ-પત્નીની જન્મતારીખ
• બેંક ખાતા નંબર
• ૈંહ્લજીઝ્ર/ સ્ૈંઝ્રઇ કોડ
• મોબાઇલ નંબર
• આધાર નંબર
• પાસબૂકમાં ઉપલબ્ધ અન્ય ગ્રાહક માહિતી જે મેન્ડેટ રજિસ્ટ્રેશન માટે જરૂરી છે
વર્ષ ૨૦૧૯માં ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઇએફપીઆરઆઇ) દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પીએમ-કિસાન ફંડ્સે ગ્રામીણ આર્થિક વિકાસને વેગ આપ્યો છે. ખેડૂતોની ધિરાણની મર્યાદાઓ હળવી કરી છે અને કૃષિ ઇનપુટ રોકાણોમાં વધારો કર્યો છે. વધુમાં, આ યોજનાએ ખેડૂતોની જોખમ લેવાની ક્ષમતામાં વધારો કર્યો છે. જે તેમને જોખમી પરંતુ તુલનાત્મક રીતે ઉત્પાદક રોકાણ કરવા તરફ દોરી ગઈ છે. પીએમ-કિસાન હેઠળ પ્રાપ્તકર્તાઓને પ્રાપ્ત ભંડોળ માત્ર તેમની કૃષિ જરૂરિયાતો પૂર્ણ કરવામાં જ મદદ નથી કરી રહ્યું, પરંતુ તે તેમના શિક્ષણ, તબીબી, લગ્ન વગેરે જેવા અન્ય ખર્ચને પણ પૂર્ણ કરે છે. આ દેશના ખેડૂતો પર આ યોજનાની સકારાત્મક અસરના સંકેતો છે. પીએમ કિસાન આપણા દેશના ખેડૂત સમુદાય માટે ખરા અર્થમાં ગેમ ચેન્જર રહ્યું છે.

