Gujarat

રાજ્યના અનેક જિલ્લાઓમાં ૨૪ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી: હવામાન વિભાગ

છેલ્લા ૩-૪ દિવસોથી રાજ્યમાં જાણે ચોમાસાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું હતું ત્યારે હવે હવામાન વિભાગે આગામી ૨૪ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, નવરાત્રિ ૨૨ તારીખથી શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવરાત્રિમાં ખેલૈયાને વરસાદનું વિઘ્ન નડી શકે છે. જેમાં પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૧૯થી ૨૨ સપ્ટેમ્બર સુધી ૪ જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

આગામી ૨૩-૨૪ સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમીધારે વરસાદ વરસી શકે છે.