અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 31 ઓક્ટોબર, 2025 શુક્રવારના રોજ રાયપુર ચકલા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તૃપ્તિબેન ગઢવી અને બહાદુરભાઈ ગઢવીએ ભક્તિગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેયર પ્રતિભાબેન જૈન, મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ, મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજભાઈ ભટ્ટ, ઉમંગ નાયક, ગીતાબેન પરમાર અને નિકીબેન મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, ખાડિયા વોર્ડના પ્રમુખ જયેશભાઈ રામી, પૂર્વ કાઉન્સિલર જયશ્રીબેન પંડ્યા, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, મયુરભાઈ દવે અને ડેપ્યુટી કમિશનર રમ્યભાઈ ભટ્ટે પણ કાર્યક્રમમાં હાજરી આપી ભક્તિગીતોનો આનંદ માણ્યો હતો.

