બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાના કાફલા પર લખીસરાયમાં મતદાનના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો, અને તેમના તરફ પથ્થરો અને વસ્તુઓ ફેંકવામાં આવી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે સિંહા, જે આ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પણ છે, તેઓ કાફલા સાથે લખીસરાયના ખોરિયારી ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા. લોકોના એક જૂથે કાફલાને ગામમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કરતા ચપ્પલ ફેંક્યા અને પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ છે. ભીડમાંથી “મુર્દાબાદ” ના નારા પણ લાગ્યા.
“આ આરજેડીના ગુંડાઓ છે. સત્તા મેં આ રહી હૈ એનડીએ ઇસલીયે ઇન્કે છતી પે બુલડોઝર ચલેગા. ગુંડાઓ મને ગામની મુલાકાત લેવા દેતા નથી. વિજય સિંહા જીતવાના છે…તેઓએ મારા પોલિંગ એજન્ટને ભગાડી દીધો અને તેને મતદાન કરવા દીધો નહીં. તેમની ગુંડાગીરી જુઓ. આ ખોરિયારી ગામના ૪૦૪ અને ૪૦૫ બૂથ નંબરો છે,” સિંહાએ સ્થળ પર કહ્યું.
સામે આવેલા એક વીડિયો અનુસાર, લોકોએ ‘મુર્દાબાદ‘ ના નારા લગાવ્યા અને રસ્તાની હાલતને તેમના વિરોધનું કારણ ગણાવ્યું.
સિન્હાએ સ્થાનિક વહીવટીતંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ પણ લગાવ્યો હતો કે તેમના કાફલા પર “ચપ્પલ અને ગાયનું છાણ” ફેંકવામાં આવ્યું હતું.
“પથ્થર પણ ફેંકવામાં આવ્યા હતા. આરજેડી કાર્યકરો મતદાન મથક કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું,” તેમણે ઉમેર્યું.
એક ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ડીજીપીને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ના પ્રથમ તબક્કા માટે મતદાન ગુરુવારે સવારે લખીસરાય સહિત અનેક બેઠકો પર શરૂ થયું હતું. બાકીના બિહારમાં ૧૧ નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસે મતદાર યાદીમાં વિસંગતતાઓનો આરોપ લગાવ્યો હતો
કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ગુરુવારે દાવો કર્યો હતો કે ચાલી રહેલી બિહાર ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાંથી ઘણા લોકોના નામ ગાયબ હોવાથી મતદાન મથકો પરથી પાછા ફરવાની ફરજ પડી હતી, તેમણે કહ્યું હતું કે “મતદાર યાદી ભ્રષ્ટ છે”.
મસૂદે કહ્યું કે તેઓ જીૈંઇ દ્વારા લોકોને મતદાનના અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
“ઘણા લોકોને મતદાન મથકથી પાછા ફરવું પડે છે કારણ કે તે સ્પષ્ટ છે કે મતદાર યાદી ભ્રષ્ટ છે.” “રાહુલ ગાંધીએ ગઈકાલે જે કહ્યું તે બિહારમાં પણ જાેઈ શકાય છે. તેઓ જીૈંઇ દ્વારા લોકોને મતદાનના અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે,” ઇમરાન મસૂદે સહારનપુરમાં મીડિયાને જણાવ્યું.

