National

ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ : લખનઉમાં ઉતારવામાં આવ્યું

૮ કલાકની શોધખોળ બાદ માહિતી ખોટી નીકળી; પાછું રવાના થયું

ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળ્યા બાદ અફરાતફરી મચી ગઈ. તાત્કાલિક દિલ્હીથી બાગડોગરા (પશ્ચિમ બંગાળ) જઈ રહેલા વિમાનનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એરપોર્ટ સૂત્રો અનુસાર, છ્ઝ્રને રવિવારે સવારે ૮:૪૬ વાગ્યે ઇન્ડિગોની ૬ઈ-૬૬૫૦ ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળી. વિમાન સવારે ૯:૧૭ વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડ થયું. યાત્રીઓને ઉતારીને વિમાનને આઇસોલેશન બેમાં પાર્ક કરવામાં આવ્યું. લગભગ આઠ કલાક સુધી તપાસ કરવામાં આવી.

બોમ્બની સૂચના ખોટી હોવાની પુષ્ટિ થયા બાદ સાંજે ૪:૪૦ વાગ્યે યાત્રીઓ સહિત ગંતવ્ય સ્થાન માટે રવાના થયું. જાણકારી અનુસાર, વિમાનના બાથરૂમની અંદર એક નેપકિન પર ધમકી લખેલી મળી. લખેલું હતું- ‘પ્લેનમાં બોમ્બ છે.‘ એક યાત્રીને આ નેપકિન દેખાઈ તો તેણે તેની સૂચના ક્રૂ મેમ્બરને આપી. બાદમાં વિમાનને તાત્કાલિક લખનઉ ડાયવર્ટ કરવામાં આવ્યું. અહીં બોમ્બ નિરોધક દળ, ફાયર બ્રિગેડ, મેડિકલ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ વિમાનને ઘેરી લીધું. બોમ્બ નિરોધક દળ વિમાનની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ મામલાની ઝીણવટપૂર્વક તપાસમાં લાગેલા છે. વિમાનમાં ૨૩૦ મુસાફરો (૮ બાળકો પણ), ૬ ક્રૂ મેમ્બર અને ૨ પાઇલટ સહિત કુલ ૨૩૮ લોકો સવાર હતા. બધાને ચેકિંગ પછી સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યા. અંદર જ બધાના સામાન અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.

એરપોર્ટ સૂત્રો અનુસાર, પ્લેનમાં બોમ્બની સૂચના ઉપરાંત એ પણ જાણકારી મળી છે કે વિમાનના લગેજ કમ્પાર્ટમેન્ટમાં પેક્ડ સ્થિતિમાં રેડિયોએક્ટિવ સામગ્રી પણ લઈ જવામાં આવી રહી હતી. મામલાની ગંભીરતાને જાેતા બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (મ્છઝ્ર)ની રચના કરવામાં આવી છે, જે સમગ્ર ઘટનાનું આકલન કરી રહી છે. હાલમાં, વિમાનને આઇસોલેશન બેમાં ઊભું કરી દેવામાં આવ્યું છે. ક્વિક રિસ્પોન્સ ટીમ (ઊઇ્) વિમાનને સંપૂર્ણપણે ઘેરાબંધીમાં લઈને સુરક્ષા તપાસ કરી રહી છે. વિમાન ૫.૫ કલાક પછી બપોરે ૩ વાગ્યે પણ એરપોર્ટ પર ઊભું છે.ઇન્ડિગો એરલાઇન્સે ઇમરજન્સી લેન્ડિંગ પર નિવેદન બહાર પાડ્યું છે.

તેમાં લખ્યું છે કે- ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દિલ્હીથી બાગડોગરા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ૬ઈ ૬૬૫૦માં સુરક્ષા સંબંધિત એક આશંકા સામે આવી, જેના કારણે વિમાનને લખનઉ તરફ વાળવામાં આવ્યું. નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ, અમે તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી અને જરૂરી સુરક્ષા તપાસ માટે તેમની સાથે સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છીએ. અમે અમારા ગ્રાહકોને થતી અસુવિધાને ઓછી કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, જેમાં તેમને રિફ્રેશમેન્ટ ઉપલબ્ધ કરાવવા અને નિયમિત અપડેટ્સ શેર કરવાનો સમાવેશ થાય છે. હંમેશની જેમ, અમારા ગ્રાહકો, ક્રૂ અને વિમાનની સુરક્ષા અને સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.