દ્ગઈઈ્ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા છે.
પ્રથમ મુલતવી પછી, જ્યારે લોકસભા બપોરે ૧૨ વાગ્યે મળી, ત્યારે ગૃહે બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ ૨૦૨૫, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ ૨૦૨૫ અને કેન્દ્રશાસિત પ્રદેશો (સુધારો) બિલ ૨૦૨૫ પર સંયુક્ત સમિતિના અહેવાલની રજૂઆત માટે સંસદના શિયાળુ સત્ર ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધી સમય વધારવાની મંજૂરી આપી.
ત્યારબાદ, પ્રમુખ અધિકારી દિલીપ સૈકિયાએ જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારો) બિલ, ૨૦૨૬ ને વિચારણા અને પસાર કરવા માટે હાથ ધર્યું. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિપક્ષના હોબાળા વચ્ચે બિલ રજૂ કર્યું. કોઈપણ ચર્ચા વિના હોબાળા વચ્ચે બિલ ગૃહમાં પસાર કરવામાં આવ્યું.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી. તેમણે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ બિલ છે અને સરકાર ચર્ચામાં દરેકની ભાગીદારી ઇચ્છે છે. શ્રી રિજિજુએ ઉમેર્યું કે વ્યાપાર સલાહકાર સમિતિમાં ચર્ચા માટેનો સમય પહેલાથી જ નક્કી થઈ ગયો છે. મંત્રીએ કહ્યું કે, તેમણે કોંગ્રેસ સહિત વિપક્ષોને વારંવાર અપીલ કરી હતી કે આવા મહત્વપૂર્ણ બિલ પર યોગ્ય રીતે ચર્ચા થાય.
બિલ પસાર થયા પછી, વિપક્ષના હોબાળાને કારણે ગૃહને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યું. ગૃહ ૩ ઓગસ્ટના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ફરી મળશે.
અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, ૨૦૨૬ નો હેતુ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ માં સુધારો કરવાનો છે. નવું બિલ વિલંબિત નોંધણી માટે જાેગવાઈઓને વધુ કડક બનાવવા અને જન્મ અને મૃત્યુની ઘટનાઓની સમયસર રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યું છે.
બિલમાં જાેગવાઈ છે કે જાે જન્મ અથવા મૃત્યુની જાણ રજિસ્ટ્રારને એક વર્ષથી વધુ પરંતુ બે વર્ષની અંદર કરવામાં આવે છે, તો તે જન્મ અથવા મૃત્યુની સત્યતાની ચકાસણી કર્યા પછી, જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરીથી જ નોંધણી કરાવી શકાય છે.
બિલમાં વધુમાં જણાવાયું છે કે જાે જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને બે વર્ષથી વધુ સમય માટે કરવામાં આવે છે, તો તે ફક્ત પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર જ નોંધવામાં આવશે. બિલમાં એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે નિયુક્ત અધિકારીએ વિલંબિત નોંધણી માટે પરવાનગી આપતા પહેલા નોંધાયેલા જન્મ કે મૃત્યુની સત્યતા ચકાસવી જાેઈએ. જન્મ અને મૃત્યુની નોંધણી ફરજિયાત છે, અને જારી કરાયેલ પ્રમાણપત્ર વ્યક્તિને કાનૂની ઓળખ પ્રદાન કરે છે.
અગાઉ, જ્યારે લોકસભા સવારે ૧૧ વાગ્યે તેની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી પર વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. તેઓ આ મુદ્દા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી નિવેદન માંગી રહ્યા હતા.
શ્રી બિરલાએ તમામ વિપક્ષી સભ્યોને પ્રશ્નકાળ દરમિયાન ગૃહની કાર્યવાહીમાં ખલેલ ન પહોંચાડવા અપીલ કરી. તેમણે કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા વિક્ષેપો પર પણ ચિંતા વ્યક્ત કરી. શ્રી બિરલાએ કહ્યું, પ્રશ્નકાળ સભ્યોનો છે, અને તેમના માટે સરકાર પાસેથી જવાબ માંગવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. તેમણે કહ્યું કે ગૃહમાં પ્લેકાર્ડ અને બેનરો લાવવા એ સંસદની પરંપરાઓ અને શિષ્ટાચાર અનુસાર નથી. હોબાળો ચાલુ રહેતાં, સ્પીકરે ગૃહને બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી મુલતવી રાખ્યું.
રાજ્યસભા પણ આ જ મુદ્દા પર સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે રાજ્યસભા સવારે ૧૧ વાગ્યે મળી, ત્યારે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ ગૃહના ટેબલ પર કાગળો મૂક્યા. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પર વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો.
માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને તેમના મંત્રાલય સંબંધિત ફેક ન્યૂઝને રોકવા માટેની પદ્ધતિની સમીક્ષા પર સંચાર અને માહિતી ટેકનોલોજી પર વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના ૨૨મા અહેવાલમાં સમાવિષ્ટ ભલામણોના અમલીકરણની સ્થિતિ અંગે નિવેદન આપ્યું.
તે પછી, અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને શૂન્યકાળ શરૂ કર્યો. ઘણા સભ્યોએ તાત્કાલિક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. જાેકે, વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ શરૂ કર્યો, તેમની માંગણીઓ માટે દબાણ કર્યું. કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષી સભ્યોની ટીકા કરતા કહ્યું કે તેઓ દરેક મુદ્દા પર વિક્ષેપ પેદા કરી રહ્યા છે અને ચર્ચા ટાળી રહ્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષ ગૃહની ગરિમાને નબળી પાડી રહ્યું છે અને લોકશાહીની મજાક ઉડાવી રહ્યું છે. શ્રી ચૌહાણે કહ્યું કે દેશના લોકો તેમના આચરણ પર નજર રાખી રહ્યા છે અને તેઓ તેમને ક્યારેય માફ કરશે નહીં.
હોબાળો ચાલુ રહેતાં, અધ્યક્ષે ગૃહને સોમવાર, ૩ ઓગસ્ટ સુધી દિવસ માટે મુલતવી રાખ્યું.

