કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ શુક્રવારના રોજ બપોરે ૩.૩૦ કલાકે દરેડ ખાતે લાલપુર બાયપાસથી ચંગા પાટિયા સુધીના માર્ગનું લોકાર્પણ કરશે તેમજ જામનગર સર્કિટ હાઉસ ખાતે ઢીંચડા-ગુલાબનગર સાઈટ બાયપાસના પ્રશ્ન અંગેની બેઠકમાં હાજરી આપશે.
