છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં સૌ સાથે મળી કામ કરીએ-સાંસદ શ્રી પૂનમબેન માડમ
જામનગરતા.૦૪ માર્ચ :કલેકટર કચેરી જામનગર ખાતેના આયોજન હોલમાં સાંસદ શ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
જેમાંપ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, નેશનલ હેલ્થ મિશન, પી.એમ.જે.એ.વાય, આઇ.સી.ડી.એસ હેઠળની વિવિધ યોજનાઓ,શૈક્ષણિક યોજનાઓ,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના,સ્વચ્છ ભારત મિશન,પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના,પોષણ અભિયાન, મધ્યાહન ભોજન યોજના, કુટીર ઉદ્યોગ, આંગણવાડીઓની સમીક્ષા, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે,પોસ્ટ વિભાગ, પી,જી.વી.સી.એલ,પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમા લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધીકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવાય તે માટે સાંસદશ્રીએ સુચન કર્યુ હતુ તેમજ છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં સૌ સાથે મળી કામ કરીએ તેમ જણાવ્યુ હતુ.આ ઉપરાંત સાંસદસશ્રીએશહેરમા કાર્યાન્વિત તથા નિર્માણાધિન શેલ્ટર હોમની માહિતી મેળવી હતી અને કોર્પોરેશન હસ્તકની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આત્મનિર્ભર નિધિ ભંડોળ, અમૃત યોજના, જનની સુરક્ષા યોજના વગેરેની સમિક્ષા કરી હતી.
આ બેઠકમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનીયારા,કલેકટરશ્રી સૌરભ પારધી,જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી વિજય ખરાડી,નિવાસી અધિક કલેકટરશ્રી એમ.પી.પંડ્યા,ડી.આર.ડી.એ. નિયામકશ્રીરાયજાદા,રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ. રાજકોટ અને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યોતેમજ પદાધિકારીઓ અને અધિકારીઓઉપસ્થિત રહ્યા હતા.
વિરેન્દ્રસિંહ પરમાર

