ગિરગઢડા તા
ભરત ગંગદેવ…
વેરાવળ લોહાણા મહાજન વાડીમાં બદલી પામી અમદાવાદ નિયુક્ત થયેલ સીટી પીઆઈ ડી.ડી.પરમારનું લોહાણા મહાજન સમાજના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, કારોબારી સભ્ય ભરતભાઇ ચોલેરા, બીપીનભાઈ અઢીયા, મુકેશભાઈ, રાકેશભાઈ દેવાણી, અનિષ રાચ્છ, ધીરૂભાઇ ચંદે, ઉપેન્દ્રભાઈ તન્ના, ભાવિન રૂપારેલ, સવાણીભાઈ એડવોકેટ, નગરસેવીકા હર્ષિદાબેન પાબારી, ભારતીબેન ચંદ્રાણી, રેખાબેન, બડાભાઈ, જીતેન્દ્ર ખખ્ખર, યોગેશભાઈ રતનધારીયા, રાજેશભાઈ ઠકરાર, રવિભાઈ ખખ્ખર, મહેન્દ્રભાઈ રાજા, અતુલ કોટેચા, મહેશ દંતાણી, ચિંતન એમ દંતાણી, અતુલ રાજપોપટ, વિરેનભાઈ ગણાત્રા, યજ્ઞનેશ સીરોદરીયા, ભરત સોમૈયા, નટુભાઈ ધનેશા, કિશોરભાઈ ચંદ્રાણી મનિષ સવજીયાણી, ધર્મેન્દ્ર અઢીયા, ચંદ્રેશ અઢીયા, દીપકભાઈ શીંગાળા, સહિતના અગ્રણીઓએ પૂ.જલારામ બાપાની પ્રતિકૃતી આપી હારતોરા સાથે સન્માનિત કરી ભાવભેર વિદાય આપી હતી.
આ તકે સન્માનના પ્રત્યુત્તર આપતા સીટી પીઆઈ ડી.ડી. પરમારએ લોહાણા સમાજના લોકો વેપાર સાથે જોડાયેલા હોવાની સાથે સામાજીક ક્ષેત્રે સેવા કરવામાં હમેંશા અગ્રેસર હોય છે. તેનો અનુભવ મૈને વેરાવળ શહેરમાં ફરજ બજાવતા કોરોના કાળ દરમ્યાન અનેક સેવાભાવીઓ થી અનુભુતી થયેલ છે. લોહાણા સમાજ સૌ ને સાથે રાખી ચાલનારો સમાજ છે. તો લોહાણા સમાજના આગેવાનોએ પણ પોતાના ઉદબોધનમાં કોરોના મહામારીના સમયમાં ગાઈડલાઈનના પાલન બાબતે પોલીસ તંત્ર સાથે રહી કરેલ કામગીરીની સ્મરણો યાદ કરી પીઆઈ પરમારના દ્રષ્ટિકોણને આવકાર્યા હતો.


