યુએઈ
પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી ટિપ્પણી બાદ ઉભો થયેલો વિવાદ શાંત થવાને બદલે સતત વધી રહ્યો છે. વિશ્વના અનેક મુસ્લિમ દેશોએ નૂપુર શર્માની ટિપ્પણી પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કુવૈત, કતર, ઈરાન બાદ હવે યૂએઈએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી છે. યૂએઈના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે જે વ્યવહાર નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો વિરુદ્ધ છે તેને યૂએઈ નકારે છે. સંયુક્ત અરબ અમીરાતે કહ્યું કે તમામ ધાર્મિક પ્રતિકોનું સન્માન કરવું જાેઈએ અને હેટ સ્પીચને સંપૂર્ણ રીતે હતોત્સાહિત કરવી જાેઈએ. નિવેદન પ્રમાણે આવી વાતોથી બચવું જાેઈએ જેનાથી કોઈ ધર્મના લોકોની ભાવનાઓને ભડકાવવાનો ખતરો ન હોય. ભાજપની પૂર્વ પ્રવક્તા તરફથી પયગંબર મોહમ્મદને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ મુસ્લિમ દેશોમાં નારાજગી જાેવા મળી રહી છે. ઘણા દેશોએ ભારતની સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. તો કુવૈત, કતર અને ઈરાને રવિવારે ભારતીય રાજદૂતોને સમન્સ પાઠવ્યું હતું. ખાડી દેશોએ આ ટિપ્પણીની નિંદા કરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરનાર પાર્ટી પ્રવક્તા નૂપુર શર્માને ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી હતી. તો નવીન કુમાર જિંદલને પાર્ટીએ કાઢી મુક્યા છે. તે દિલ્હી ભાજપ મીડિયા સેલના હેડ હતા. આ સમગ્ર મામલો ૨૭ મેએ નૂપુર શર્માએ એક ટીવી ચેનલમાં ડિબેટ દરમિયાન કરેલી ટિપ્પણીથી શરૂ થયો હતો. તેની ક્લિક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ડિબેટમાં જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન ભાજપની પૂર્વ પ્રવક્તાએ કથિત રીતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી દીધી હતી. નૂપુર શર્મા પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ દેશમાં પણ નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન થયું હતું.