જૂનાગઢ : વિસાવદર તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.
કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ વિસાવદરના ખંભાળીયા વોર્ડ નં.૨ રામ મંદિરની પાસેના મકાનો.વિસાવદરના અંબાળા ગામે વોર્ડ નં.૪ હરીભાઇ હીરપરાના ઘરથી સુરેશભાઇ વીઠ્ઠલભાઇ પટોળીયાના ઘર સુધીના મકાનો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જયારે વિસાવદરના ખંભાળીયા વોર્ડ નં.૨ ના મકાનો.વિસાવદર ના અંબાળા ગામ(કન્ટેઇન્મેન્ટ સિવાયનો વિસ્તાર) ના મકાનો બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૨ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
.
