મકસુદ કારીગર,કઠલાલ
હાલ ચાલી રહેલા દશામાં ના દસ દિવસો ના વ્રત ના પર્વ પર મીનાવાડા ખાતે ભારત ભર માંથી લાખો લોકો ની સંખ્યા માં પગપાળા તેમજ પોતાની સુવિધા મુજબ લોકો નું મહેરામણ ઉમટી પડે છે .ત્યારે મીનાવાડા અને વડથલ ના રસ્તા પર જોગમાયા ગ્રુપ વડથલ દ્વારા દસ દિવસ માટે મફત જમવા તેમજ ચા નાસ્તા ની સુવિધા કરવામાં આવી છે.જેમાં લાડુ ,દાળ, ભાત ,પુરી શાક ,કઢી ખીચડી જેવા પાકા ભોજન વિના મૂલ્યે જમાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે .જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે.

