- કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,645 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 201 દર્દીઓના મોત નિપજ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,50,284 થઈ ગઈ છે.
દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 75 હજાર 950 લોકો સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,299 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશભરમાં 2,23,335 એક્ટિવ કેસ છે. ભારતભરમાં અત્યાર સુધીમાં કુલ 1,50,999 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 675 કેસ નોંધાયા છે. જેની સામે 851 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 5 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4340 થયો છે. આજે રાજ્યમાં કુલ 47,506 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.10 ટકા છે.
