Gujarat

બોર્ડ પરીક્ષામાં બ્લોકદીઠ 30 વિદ્યાર્થી રહેશે

  • કોરોનાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ તેમજ પુરક પરીક્ષાઓ સહિતની રાજ્યવ્યાપી પરીક્ષાઓ બ્લોકદીઠ 20 વિદ્યાર્થી સાથે લેવાઈ હતી અને આગામી બોર્ડ પરીક્ષાને લઈને ધો.10-12 સામાન્ય પ્રવાહ માટે બ્લોક દીઠ 20 વિદ્યાર્થી બેસી શકે તે રીતની વ્યવસ્થા સાથેની વિગતો બોર્ડે તમામ ડીઈઓ પાસેથી મંગાવી હતી.પંરતુ સરકારે હવે 11 મીથી સ્કૂલો ખુલી રહી છે અને કોરોનાની સ્થિતિ ઘણી સુધરી હોઈ તેમજ પરીક્ષા મેમા લેવાની હોવાથી હવે ગત વર્ષની જેમ રેગ્યુલર ધોરણે ક્લાસ દીઠ 30 વિદ્યાર્થી જ બેસાડાશે.
  • સરકારે હવે 11મીથી સ્કૂલો ખોલવા જાહેરાત કરી દીધી છે અને જેમાં 30 વિદ્યાર્થીના બે વર્ગો કરવાની સૂચના અપાઈ છે ત્યારે હવે ક્લાસ દીઠ 30 વિદ્યાર્થી સંખ્યા બેસાડી શકાશે. જેથી મે માસમાં લેવાનારી ધો.10 અને 12 સા.પ્ર.ની બોર્ડ પરીક્ષામાં પણ બ્લોક દીઠ 30 જવિદ્યાર્થી બેસાડાશે. બોર્ડે કોરોનામાં ગુજકેટ અને પુરક પરીક્ષાઓ ક્લાસ દીઠ 20 વિદ્યાથી સંખ્યા સાથે લીધી હતી પરંતુ હવે કોરોનાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને સ્કૂલો પણ ખુલી રહી છે ત્યારે બોર્ડે પરિપત્રમાં સુધારો કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *