આજરોજ બોટાદ જીલ્લામાં આવેલ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન રાધેવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરવા માનનીય કેન્દ્રીય મંત્રી ભાનુપ્રતાપસિંહ વર્મા ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ-સાંસદ ભારતીબેન શિયાળ,ધારાસભ્ય બોટાદ સૌરભભાઈ પટેલ,જિલ્લા ભાજપા પ્રભારી અમોહભાઈ શાહ,જિલ્લા ભાજપા પ્રભારી મંજુલાબેન દેત્રોજા,જિલ્લા ભાજપા પ્રમુખ અરવિંદભાઈ વનાળીયા,જિલ્લા મહામંત્રી બ્રિજરાજસિંહ ઝાલા,
જિલ્લા મહામંત્રી ગૌતમભાઈ ખસીયા, રાણપુર એ.પી.એમ.સી ચેરમેન કિશોરભાઈ ધાધલ, આવેલ અને પૂજ્ય ભયલુબાપુ સાથે પૂજ્ય વિસામણબાપુ ના જન્મ સ્થળે દર્શન કર્યા અને ભોજન પ્રસાદ લઈ જગ્યાની બણકલ ગૌશાળા ની મુલાકાત લીધેલ.ત્યારબાદ વિહળ વાટિકા ની મુલાકાત લીધેલ અને જગ્યાની ચોખ્ખાઈ , વ્યવસ્થા જોઈ ખુબ ધન્યતા અને દિવ્યતા અનુભવી ખુબ રાજીપો વ્યક્ત કર્યો…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


