લંડન
૪૨ વર્ષના ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બની ગયા. ઋષિ સુનકે બકિંધમ પેલેસ પહોંચીને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી. તેમણે કિંગે તેમને બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. બકિંઘમ પેલેસથી ઋષિ સુનકે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા. અહીં તેમણે પ્રધાનમંત્રી તરીકે દેશના નામે સંબોધન કર્યું. બ્રિટનના પીએમ નિયુક્ત કર્યા બાદ ઋષિ સુનકે પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે ‘અમારો દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મુશ્કેલ ર્નિણયો લેવામાં આવશે.’ હું ભૂલોને સુધારવા માટે ચૂંટાયો છું. હું વાયદો કરું છું કે હું સત્યનિષ્ઠા અને વિનમ્રતા સાથે તમારી સેવા કરીશ તથા બ્રિટનના લોકોની નિરંતર સેવા કરીશ. આપણે સાથે મળીને અવિશ્વનીય વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે યોગ્ય ભવિષ્યનું નિર્માણ કરીશું. ઋષિ સુનકે કહ્યું કે સરકાર દરેક સ્તર પર ઇમાનદારી, વ્યવસાયિકતા અને જવાબદેહી વિશે હશે. વિશ્વાસ પેદા કરવામાં આવે છે કે અને હું તમારા બધાનો વિશ્વાસ કમાઇશ. બ્રિટન એક મહાન દેશ છે, પરંતુ તેમાં કોઇ શંકા નથી કે દેશ એક ગંભીર આર્થિક પડકારનો સામનો કરી રહ્યો છે. આગળ મુશ્કેલ ર્નિણયો લેવાશે. અત્યારે આપણો દેશ ગાઢ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. તમે મને કોવિડ દરમિયાન લોકો અને વ્યવસાયોની સુરક્ષા માટે બધુ કરતાં જાેયો હશે. હું જે સરકારનું નેતૃત્વ કરી રહ્યો છું. તે આગામી પેઢી, તમારી બાળકો અને પૌત્ર-પૌત્રીઓને દેવું ચૂકવવા માટે છોડીશું નહી. આ પહેલાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી લિઝ ટ્ર્સે ડાઉનિંગ સ્ટ્રીટથી વિદાય ભાષણમાં, પોતાના ઉત્તરાધિકારી ઋષિ સુનક (ઇૈજરૈ જીેહટ્ઠા) ની ‘સફળતા’ ની કામના કરી. સાથે જ તેમણે સત્તામાં પોતાના સમયની કેટલીક ઉપલબ્ધિઓની પ્રશંસા કરી છે. ઔપચારિક રૂપથી રાજીનામું આપવા માટે બકિંધમ પેલેસ જતાં પહેલાં તેમણે કહ્યું કે ‘અમે એક વાવાઝોડા માધ્યમથી લડાઇ ચાલુ રાખીએ છીએ, પરંતુ મને બ્રિટનમાં વિશ્વાસ છે. મને બ્રિટિશ લોકો પર વિશ્વાસ છે અને મને ખબર છે કે ઉજ્જવળ દિવસ આવવાના છે. યૂકેના પ્રથમ હિંદુ પ્રધાનમંત્રી ઋષિ સુનક (ઇૈજરૈ જીેહટ્ઠા) ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ભાષણ આપશે. તેની સાથે તેમની પત્ની અક્ષય મૂર્તિ તેમની બે પુત્રીઓ અનુષ્કા અને કૃષ્ણા પણ હાજર રહી શકે છે. સુનક જ્યારે પ્રધાનમંત્રી આવાસ પર પહોંચશે તો તેમને સુરક્ષા કોડથી માહિતગાર કરાવવામાં આવશે. અત્યાર સુધી તેમણે પોતાના મંત્રીમંડળના બે મુખ્ય પદો પર ર્નિણય અને જાહેરાત કરવી પડશે.
