Gujarat

ખેડા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગીની ૬,૩૩૩અરજીઓ મંજૂર કરાઇ ઃ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં બિનખેતી માટેની પરવાનગી સંદર્ભે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહેસુલ વિભાગના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતી માટેની પરવાનગી માંગતી કુલ ૪૯૨૦ અરજીઓ મળી હતી. આ મળેલી અરજીઓ પૈકી ૩૧૨૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જ્યારે ૧૭૯૭ અરજીઓ દફતરે કરાઈ છે જ્યારે માત્ર એક અરજી […]

Gujarat

લીમખેડા ખાતે રૂ. ૨૮૫ લાખના ખર્ચે જુના માઇનોર બ્રિજના સ્થાને નવીન હાઈ લેવલ બ્રિજનું નિર્માણ કરાશે

દાહોદ જિલ્લામાં છેલ્લા ૮ વર્ષમાં રૂ.૧૫૩૬. ૪૬ કરોડના ૧૭૬૧ રસ્તાઓના કામ પૂર્ણ દાહોદ, વિધાનસભા ખાતે માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, છેલ્લા ૮ વર્ષમાં રૂપિયા ૧૫૩૬. ૪૬ કરોડના ખર્ચે ૧૭૬૧ રસ્તાના કામો પૂર્ણ કરાયા છે. લીમખેડા જુના માઇનોર બ્રિજના સ્થાને નવા હાઈલેવલ માઇનોર બ્રીજ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં […]

Gujarat

રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા રૂર્બન કોન્સેપ્ટ આત્મા ગામડાનો સુવિધા શહેરોની વિચારધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત વધુ પાંચ જિલ્લાની ૧૬ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર થઈ સ્માર્ટ વિલેજને મળશે પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ :- ગ્રામ પંચાયતના વિકાસ કામો માટેના સ્વભંડોળમાં આ રકમ ઉપયોગમાં લેવાશે ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ […]

Gujarat

‘ખેલ મહાકુંભ’ ના પરિણામે ગુજરાતમાં રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થયાઃ મંત્રીશ્રી હર્ષ સંઘવી

ખેલ મહાકુંભ ૨.૦ માં ૪ નવીન રમતો ઉમેરાઇઃએક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે ગીર સોમનાથ જિલ્લામાં ૧.૩૩ લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ગાંધીનગર, રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ખેલ મહાકુંભ ૨.૦ માં ૪ નવીન રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે. વધુંમા ખેલ મહાકુંભ માં […]

Gujarat

સમાજના છેવાડે રહેલો માનવી એ સરકારની અગ્રતામાં પ્રથમ આવે તે પ્રતિબધ્ધતા સાથે અમારી સરકાર સતત પ્રયત્નશીલઃ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

જયાં માનવી ત્યાં સુવિધા’ સાથે ‘અંત્યોદયથી સર્વોદય” એ જ અમારો નિર્ધાર સંત સુરદાસ યોજના માંથી બી.પી.એલ કાર્ડનું તથા ૦ થી ૧૭ વર્ષનું ઉમરનું ધોરણ દુર કરી લાભ આપવાનો મહત્વનો ર્નિણય કન્યાઓ માટે સુરેન્દ્રનગર, કોડિનાર, બારડોલી અને બાલાસિનોર ખાતે નવા સમરસ કન્યા છાત્રાલયો નું નિર્માણ કરાશે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીકન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ […]

Gujarat

તાપી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ ૧૩૬૧ આદિજાતિ કન્યાઓને લાભ અપાયોઃ આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

વિધાનસભા ગૃહમાં કુંવરબાઈનું મામેરું યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે,અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ બે દીકરીઓની મર્યાદામાં લગ્ન કરેલી દીકરીઓને ડ્ઢમ્‌ દ્વારા રૂ.૧૨,૦૦૦ સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. સાથે જ તેમણે […]

Gujarat

આદિજાતિ સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવા સરકાર દ્વારા અપાય છે વિશેષ સહાયઃ દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી છે

છેલ્લા બે વર્ષમાં ૧૧,૨૪૬ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે ૧૨,૫૪૭ લાખથી વધુ રકમની શિષ્યવૃતિ સહાય ચૂકવાઇ : આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ગાંધીનગર, આદિજાતિની કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના […]

Gujarat

વલસાડ જિલ્લામાં રાયપનીંગ એકમ ઉભા કરવા છેલ્લા બે વર્ષમાં રૂ. ૪૭.૦૯ લાખની સહાય ચૂકવાઇઃ રાજય કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ ગાંધીનગર/વલસાડ, રાજ્યના કૃષિ રાજય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે, તાત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાગાયતી પાકોની ગુણવત્તા જળવાઈ રહે અને બાગાયતી પાકોની નિકાસ થાય એ માટે રાજ્યમાં રાયપનીંગ એકમો ઉભા કરવા આર્થિક સહાય આપવાનો ર્નિણય કરી આ યોજના અમલી બનાવી છે. […]

Gujarat

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ સત્વરે ભરાશે : શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યું

રાજ્યમાં ૬૪૯ જગ્યાઓ ભરાયેલી : વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર જગ્યાઓ ખાલી ગાંધીનગર, શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ […]

Gujarat

અમદાવાદમાં એક જ દિવસમાં જાહેરમાં પાનની પિચકારી મારતાં લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસુલાયો

જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) તંત્ર દ્વારા દંડનીય પગલાં સતત ૧૮માં દિવસે યથાવત જાેવા મળ્યા હતા. સતત ચાલી રહેલી આ કાર્યવાહી દરમિયાન દરરોજ સરેરાશ ૧૦૦ જેટલા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. આજે પણ શહેરના ૭ ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો […]