માણસામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે એક તરફ ખેડૂતો અને જીવ સૃષ્ટિમાં આનંદ અને રાહતની લાગણી વ્યાપી છે તો બીજી તરફ કેટલીક જગ્યાએ નુકસાનના અહેવાલો પણ સામે આવી રહ્યા છે રવિવારે માણસા શહેરમાં આવેલા નવા કુવા વિસ્તારમાં ભારે વરસાદના કારણે જૂના મકાનનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતાં આ ગંભીર દુર્ઘટનામાં મકાનની […]
Author: JKJGS
ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવરહાઉસ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી […]
ચૂંટાયેલી બોડી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરાશે
રાજકોટ જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા આવતીકાલે 9મી જુલાઇએ યોજાશે. ગત એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 36માંથી 34 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ પ્રમુખપદે સંજય પીપળીયા અને ઉપપ્રમુખપદે સામતભાઇ બાંભવા નિયુક્ત થયા હતા. જોકે, દોઢ મહિનાથી સમિતિઓની રચના બાકી હોવાથી સભ્યોમાં કચવાટ હતો, જેનો હવે અઢી મહિને અંત આવશે […]
મહુવા ગ્રામ્યમાં વરસાદે વિરામ લીધો – ચોકવા, કંટાસર સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી
મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. વાવણી લાયક વરસાદ બાદ ખેડૂતોએ આજે વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે મહુવા પંથકના ચોકવા, કંટાસર, ખાઠસુરા, છાપરી અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો વરસાદ બંધ થતાંની સાથે જ ધરતીપુત્રોએ ખેતરોમાં વાવણીયા જોડ્યા હતા અને ખરીફ પાકની વાવણી શરૂ કરી હતી.
રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક
ભાવનગરમાં આગામી 16 જુલાઈએ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા યોજાનાર છે. આ નિમિત્તે રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ રૂમમાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાવનગરના એસ.પી. નિતેશ પાંડેય, સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલ સહિત એલ.સી.બી., એસ.ઓ.જી અને તમામ પી.આઈ. હાજર રહ્યા હતા. ભાઈચારમાં રથયાત્રા નીકળે તે માટે આહ્વાન બેઠક […]
માણાવદર પુલ પર રેલિંગનું કામ પૂર્ણ, સ્થાનિકોને રાહત
માણાવદરના બાગ દરવાજાથી ગિરિરાજ નગરને જોડતા મુખ્ય પુલ પર લાંબા સમયથી રેલિંગ ન હોવાની સમસ્યાનો અંત આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પુલ પર રેલિંગ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે આ પુલ પર રેલિંગ ન હોવાને કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને […]
તળાવમાંથી નગ્ન હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંગરોળના કામનાથ રોડ પર આવેલી ચૂનાભટ્ટી તળાવમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકના લોકોમાં ભારે સનસનાટી મચી ગઈ છે. તળાવના પાણીમાં એક લાશ તરતી હોવાની માહિતી વાયુવેગે પ્રસરતા જ આસપાસના સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના […]
જામનગરના દસ બ્લેક સ્પોટ બન્યા કાળમુખા, 3 વર્ષમાં 77 અકસ્માતમાં 55 માનવ જીંદગી હોમાઇ
જામનગર શહેર-જિલ્લામાંથી પસાર થતા અમુક હાઇવે વાહનચાલકો માટે મૃત્યુની જાળ સાબિત થઇ રહયા છે.છેલ્લા ત્રણ વર્ષ (2023થી 2025)સુધીના સત્તાવાર આંકડા ભયાવહ વાસ્તવિકતા છતી કરે છે.જિલ્લાના માત્ર દશ બ્લેક સ્પોટ પર છેલ્લા ત્રણ વર્ષમાં 77 ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં 55 લોકો કાળના ખપ્પરમાં હોમાયા છે. સરેરાશ આ દશ પોઇન્ટ પર દર બે માસે ત્રણ માનવ […]
દિલ્હીથી મુંબઇ અને વડોદરાથી મુંબઈ જતી ફ્લાઈટ વડોદરા ડાઇવર્ટ કરતા મુસાફરોને હાલાકી
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોના વ્યવહાર પર પણ મોટી અસર પડી છે. ખાસ કરીને મુંબઈથી વડોદરા તરફ આવતી કેટલીક ટ્રેનો પર પણ અસર પડી રહી છે. તો બીજી તરફ ભારે […]
કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન છતાં સુરસાગર તળાવની દશા બિસ્માર
સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાં આવેલું અને શહેરની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સુરસાગર તળાવ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવ્યું છે. તળાવની જાળવણીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવાના વીડિયો સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિને પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી […]










