Gujarat

માણાવદર બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામી

કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય આયોજિત સન્માન કાર્યક્રમ આણંદ ખાતે યોજાયેલ તેમાં બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલ માણાવદરની ધોરણ ચાર ની વિદ્યાર્થીની ઋત્વી સંદીપભાઈ ત્રાંબડિયાની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામતા તેને મોમેન્ટો, શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. માણાવદર બ્લુબેલ સ્કૂલના આચાર્ય હિતેશભાઈ અઘેરા તથા ચિત્ર શિક્ષક (કન્વીનર) વસંત જાદવ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા […]

Gujarat

દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ

જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો એપ્રિલ 1, 2025: દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો દ્વારા […]

Gujarat

આજનું રાશિફળ (02/04/2025)

મેષ આજના દિવસે તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે.પરંતુ તમારો ઉત્સાહ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાંય તમે આજે કોઈ જરૂરિયાતમંદ ને પૈસા આપી શાંતિ નો અનુભવ કરશો। મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે, એ સિવાય નિસ્તેજ અને […]

Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો શુભારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાજયમાં હોલીસ્ટીક હેલ્થ કેરની પ્રણાલિને આત્મસાત કરાઈ પાન હેલ્થનું આ યુનિટ હેલ્થ અને વેલનેસમાં ભારતને અગ્રેસરતા તરફ લઈ જતું કદમ નવી ટેક્સટાઇલ પોલિસી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ આસપાસ ટેકનિકલ ટેક્સટાઇલની સુઘડ ઈકો-સિસ્ટમ ઊભી કરવામાં મદદરૂપ બનશે યુનિટ મેન્સ્ટ્રુઅલ હાઈજીન અવેરનેસ કેમ્પ અંતર્ગત ૨,૫૧,૦૦૦ દીકરીઓને થશે નિ:શુલ્ક સેનિટરી પેડનું વિતરણ કરાશે મુખ્યમંત્રીશ્રી […]

Gujarat

બોડેલીમાં સિંધી સમુદાય દ્વારા હર્ષોલ્લાસ ભેર ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી

સિંધી સમુદાયના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલજીનો જન્મોત્સવ એટલે કે ચેટીચંદ પર્વ ત્યારે ચેટીચંદ પર્વના પવિત્ર દિવસે સમગ્ર સિંધી સમાજમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ  સિંધી પરિવારો દ્વારા ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, બોડેલી શહેરમાં વસતા સિંધી સમુદાયના લોકો આજે ભગવાન ઝુલેલાલના મંદિરમાં એકત્રિત થયા હતા. […]

Gujarat

ખેત તલાવડીમા જીઓમેમ્બ્રેનની ફિટ કરી આપવાની  યોજનામાં  અમરેલી  જિલ્લાનો  સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં  રજૂઆત  કરતા – – ધારાસભ્ય શ્રી મહેશભાઈ  કસવાલા 

ખેડૂતો દ્વારા ખેત તલાવડી બનાવવાનામાં આવે અને સરકાર દ્વારા ખેડૂતોને જીઓમેમ્બ્રેન ફિટ કરી આ૫વામાં આવે છે   ખેત તલાવડીથી ચોમાસાના વરસાદના પાણીનો સંગ્રહ કરી વરસાદ નહીં પડે ત્યારે પાક બચાવવામા તેમજ રવિ પાકોમા સિંચાઈ કરી શકાય છે. સૌથી વધારે પાણીની તંગી વાળા બનાસકાંઠા જિલ્લામાં આ યોજના થકી ખૂબ સારા પરિણામ ખેડૂતોને મળ્યા છે. સરકારશ્રી દ્વારા પાણીની […]

Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા ૩૧-૩-૨૫ના રોજ બાકી વેરાની વસૂલાત માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં એક જ દિવસમાં ૧૬૪૯૦૦૦ રૂપિયાના બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી

આ ઝુંબેશ ખાસ કરીને ૩૧ માર્ચના રોજ યોજાઈ હતી, જે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હતો. આ દિવસે જાહેર રજા હોવા છતાં, સાવરકુંડલા નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગે નાગરિકોની સુવિધા માટે વિશેષ ઝુંબેશનું આયોજન કર્યું હતું. આ ઝુંબેશને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ જણાવ્યું હતું કે, “નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા નાગરિકોના […]

Gujarat

માંગરોળ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ મહોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરાઈ

મહાઆરતી મહાપ્રસાદ સત્સંગ ભવ્ય શોભાયાત્રા સહીતના કાર્યક્રમો યોજી હીંદુ નવા વર્ષની શરૂઆત કરાઈ. માંગરોળ સમસ્ત સિંધી સમાજ દ્વારા ચૈત્રીબીજ એટલે ચેટીચંદ પર્વની ઊજવણી અંતર્ગત સવારે ધ્વજારોહણ બાદ શ્રીઝુલેલાલ ભગવાનની મહાઆરતી, સત્સંગ કિર્તન, મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મીક કાર્યક્રમો તેમજ દર વર્ષની જેમ સાંજે ઝુલેલાલ મંદિર થી મુખ્ય બજારમાંથી ડીજે ના તાલે “આયોલાલ ઝુલેલાલ” ના નાદ સાથે […]

Gujarat

ઓલપાડની તળાદ હાઈસ્કૂલમાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો 

ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદનાં પ્રાથમિક વિભાગમાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માધ્યમિક વિભાગનાં આચાર્ય જયેશભાઈ પટેલ અને પ્રાથમિક વિભાગનાં આચાર્ય જશવંતભાઈ પટેલે બાળકોને ભવિષ્યમાં પોતાની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બનાવી પોતાનું ઈચ્છિત લક્ષ્ય નક્કી કરી તે સુધી પહોંચીને પોતાની શાળા, ગામ તથા તાલુકાનું નામ રોશન કરે એવી શુભેચ્છા […]

National

‘કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો: સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ

મંત્રી કિરેન રિજિજુએ કર્યા વિરોધ પક્ષ પર આકરા શાબ્દિક પ્રહાર સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે, ‘કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. કંઈપણ બોલ્યા પહેલા બિલને વાંચો અને પછી તર્ક આપો. ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો, અમે બિલ લાવવાની સંપૂર્ણ […]