કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી મોટી જાહેરાત કેનેડામાં વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક જાહેરાત કરી હતી કે આગામી મહિને એટલે કે ૨૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ દેશમાં સ્નેપ ચૂંટણી યોજાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેનેડીયન વડાપ્રધાન ની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ કરાયેલી ‘અયોગ્ય‘ ટેરિફના જવાબમાં છે જે […]
Author: JKJGS
આજનું રાશિફળ (25/03/2025)
મેષ આજના દિવસે અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જે લોકોએ ભૂતકાળ માં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકો ને તે ધન થી લાભ થવાની શક્યતા છે. ઘર ના કોઈપણ સભ્ય ના વર્તન ને કારણે તમે પરેશાન થઈ શકો છો. તમારે તેમની સાથે વાત કરવા ની જરૂર છે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને […]
વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા – રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી
વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17% કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ભારતમાં ખૂબ ઓછું છે. 1850 થી 2019 સુધીના […]
પવિત્ર અમરનાથ ગુફાના દર્શનાર્થે આવતા ભક્તો માટે સારા સમાચાર
જમ્મુ-કાશ્મીર સરકારે બાલતાલથી અમરનાથ ગુફા સુધીના ૧૧.૬૦ કિલોમીટર લાંબા રોપવેના વિકાસ માટે ટેન્ડરો મંગાવ્યા જમ્મુ-કાશ્મીરમાં બિરાજમાન પવિત્ર તીર્થ સ્થાન અમરનાથ આવતા ભક્તો માટે એક સારા સમાચાર આવ્યા છે જેમાં જમ્મુ-કાશ્મીરની સરકાર દ્વારા બાલતાલથી અમરનાથ ગુફા સુધીના ૧૧.૬૦ કિલોમીટર લાંબા રોપવેના વિકાસ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડરો (બિડ) મંગાવવામાં આવ્યા છે. રોપ-વેની મદદથી, […]
જમ્મુ- કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ભયંકર માર્ગ અકસ્માત
પર્યટકોને લઈ જતી ગાડી ખીણમાં ખાબકતા, ૩ના મોત, ૧૪ ઘાયલ જમ્મુ- કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગુંડ કંગન વિસ્તાર નજીક એક ભયંકર માર્ગ અકસ્માતમાં પર્યટકોને લઈને જઈ રહેલી એક ગાડી ઊંડી ખીણમાં ખબકટ ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા અને ૧૪ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ટોયોટા કંપનીની ઇટિઓસ ગાડી […]
યુજીસી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માન્યતા વગરની યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી નકલી ડિગ્રીઓ અંગે ચેતવણી આપી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને એક ખુબજ મહત્વની બાબતે ચેતવણી આપવામાં આવી છે જેમાં, માન્યતા વગરની યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી નકલી ડિગ્રીઓ તેમને સાવચેત અને સતર્ક રહેવા અને સલાહ આપવામાં આવી છે. આ મામલે યુજીસીએ એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે ઘણી સંસ્થાઓ ગેરકાયદેસર રીતે ડિગ્રીઓ આપીને યુજીસી એક્ટનું ઉલ્લંઘન કરી […]
પતિ મહિને એક લાખ જ્યારે પત્ની ૬૦ હજાર કમાય છે, બન્નેનો હોદ્દો પણ સમાન, પત્ની પોતાની સંભાળ રાખવા સક્ષમ : સુપ્રીમ કોર્ટ
ભરણપોષણ અપાવવાની મહિલાની અપીલને ફગાવતા સુપ્રીમનું મહત્વનું અવલોકન દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પતિ પાસેથી ભરણપોષણની માગણી કરતી એક મહિલાની અરજીને ફગાવતા સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જાે કોઇ મહિલા નોકરી કરી ચુકી હોય કે કરતી હોય અને તે જ હોદ્દા પર હોય જે હોદ્દા પર પતિ છે તો સ્વતંત્ર રીતે પોતાની સંભાળ રાખી શકે છે. […]
એપેડાએ ગોલી પૉપ સોડાની લીલી ઝંડી દેખાડી – વૈશ્વિક બજારો માટે ભારતની આઇકોનિક પ્રતિષ્ઠિત ગોલી સોડા
ગોલી સોડાનું પુનરુત્થાન વૈશ્વિક સ્તરે ભારતના સ્વદેશી પીણાંને પ્રોત્સાહન આપવા માટેનું એક મોટું પગલું ગોલી પોપ સોડાએ ગ્રાહકોના મજબૂત પ્રતિસાદ સાથે યુએસએ, યુકે, યુરોપ અને ગલ્ફ બજારોમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (છઁઈડ્ઢછ)એ પરંપરાગત ભારતીય ગોલી સોડાના વૈશ્વિક પુનરુત્થાનની ગર્વભેર જાહેરાત કરી […]
ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ-સરકારી ભાગીદારી અને એપ્રેન્ટિસશીપ સાથેના અભ્યાસક્રમ દ્વારા કૌશલ્યના અંતરના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે: જયંત ચૌધરી
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “આજના જ્ઞાન આધારિત વિશ્વમાં યોગ્ય કૌશલ્ય સમૂહ આપણને યોગ્યતા અને રાષ્ટ્રીય વૃદ્ધિ બંને આપે છે.” ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વડોદરાના ત્રીજા વાર્ષિક ટેકનિકલ ફેસ્ટિવલ “એપિટોમ ૨૦૨૫”ના મુખ્ય અતિથિ તરીકે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બોલતા શ્રી ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “પરિવહન […]
આપણે વિચારવું પડશે કે આપણે બહારથી આવનારાને આદર્શ બનાવવા જાેઈએ કે સ્થાનિકોને માન આપવું જાેઈએ
કર્ણાટકના બેંગ્લુરુમાં આરએસએસ મહાસચિવ દત્તાત્રેય હોસબલે દ્વારા મહારાષ્ટ્રમાં ઓરંગઝેબની કબર ને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે મામલે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘ઓરંગઝેબે જે કર્યુ તેના કારણે તેમને આઇકોન માનવા ન જાેઇએ, ગંગા-જમના સંસ્કૃતિ વિશે વાત કરનારા લોકોને ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ કેમ યાદ નથી? જાે દિલ્હીમાં ઔરંગઝેબ રોડ બદલીને અબ્દુલ કલામ રોડ […]










