વૈશ્વિક સ્તરે દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ; બે દાયકામાં ૧૨.૫ મિલિયન ટનના વધારા સાથે ગુજરાત “શ્વેતક્રાંતિ ૨.૦” તરફ અગ્રેસર દર વર્ષે ૧લી જૂનને સમગ્ર વિશ્વમાં “વિશ્વ દૂધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, […]
India
નર્મદાના લાછરસ ગામે મોડી રાત્રે આવેલા તીવ્ર વાવાઝોડામાં મકાન ધરાશાયી થતાં ૧૧ વર્ષની બાળકી રીંકુનું મોત
નર્મદા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડા અને વરસાદની આગાહી નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માટે આફત બનીને ત્રાટકી છે. આ ગમખ્વાર ઘટના ગત રોજ મોડી રાત્રે આશરે ૨:૦૦ થી ૩:૦૦ વાગ્યાના સુમારે બની હતી. જ્યારે આખો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે […]
સાબરકાંઠામાં એક નાળાના કામ દરમિયાન સિમેન્ટ મિક્સરનું મોટું વાહન પલટી જતાં રાજસ્થાનના ૨ શ્રમિકોના ઘટના સ્થળે મોત, ૧ ઈજાગ્રસ્ત
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના સાલેરા ગામે નાળાની કામગીરી દરમિયાન સિમેટ મિક્સર વાહન પલટી જવાની ઘટના બની હતી જેમાં, બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા હતા અને આ બનાવમાં એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર, સાલેરા ગામે નાળાના પાયાના કામ માટે સિમેન્ટનો માલ બનાવવા માટેનું એક […]
આણંદના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી
આણંદ જિલ્લાના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બ્રિજના બે મુખ્ય પિલર વચ્ચેનો સ્પાન તૂટી પડ્યો હતો. સદનસીબે, દુર્ઘટના સમયે ઘટનાસ્થળે કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી કોઈ જાનહાની કે ઇજા થઈ નથી, જેના કારણે મોટી હોનારત ટળી છે. આણંદના અડાસ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો […]
રમકડાંના દાનથી બાળકોમાં સંવેદના અને વહેંચણીના સંસ્કારો વિકસે છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
રમશે બાળક, ખીલશે બાળક : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલ-ઘુમા સ્થિત આરોહી ટ્વીન્સ બંગલો ખાતે “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી શરૂ થયેલું આ અભિયાન સમાજના વિવિધ […]
૩૧ મે આંતર રાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ ની ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ના કર્મઠ પરિજનો દ્વારા અનોખા સેવા કાર્ય થી ઉજવણી
ગાયત્રી શકિત પીઠના અભિયાનને પ્રતિસાદ આપતા ૨૫ થી વધુ લોકો એ વ્યસન સામગ્રી ઝોળી માં આપી દઈને વ્યસન મુક્તિ નો સંકલ્પ કર્યો દેશ ભરમાં ૩૧/મે ના દિવસે ઉજવાયેલા તમાકુ નિષેધ દિવસ માં ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના ગાંધીનગર સ્થિત પરિજનોએ રેલી યોજીને વ્યસન મુક્તિ […]
ચોરવાડનાં ખેત મજુરની દીકરી કાજલ વાજાએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો
ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪ટ૧૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ […]
ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ડોકટરો દ્વારા એક મહિલાના પેટમાંથી સર્જરી કરી ૮ કિલોની ગાંઠ કાઢવામાં આવી
શહેરમાં રહેતી એક મહિલાનું પેટ સતત ફુલી રહ્યું હોવાની અને પેટમાં દુ:ખાવાની તકલીફ સાથે સર ટી. હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી હતી. પ્રારંભીક રિપોર્ટમાં પેટમાં ગાંઠ હોવાનું નિદાન થતાં કેન્સરની ગાંઠ હોવાની શક્યતાના લીધે ઓપરેશન કરી ગાંઠ કાઢવાનું નક્કી કરાયું હતું. સર ટી. અને કેન્સર હોસ્પિટલના તબીબો દ્વારા સર્જરી કરી પેટમાંથી […]
સુરેન્દ્રનગરમાં 20 કરોડના ખર્ચે AC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
સુરેન્દ્રનગર જિલ્લાના નાનકેરાળા ગામ પાસે આધુનિક AC ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. અંદાજે 20કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલું આ સંકુલ જિલ્લાના રમતવીરોને વૈશ્વિક મંચ પૂરો પાડશે અને ઉચ્ચ તાલીમનું કેન્દ્ર બનશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે. ટેન્ડરની અંદાજિત રકમ 22.28 કરોડ રૂપિયા હતી, જેની […]
ચોટીલા ચામુંડા ડુંગરે ભક્તોનું ઘોડાપુર
ચોટીલા: પવિત્ર અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. રવિવારનો દિવસ હોવાથી વહેલી સવારથી જ લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મમાં અધિક પુરુષોત્તમ માસની પૂનમનું વિશેષ મહત્વ છે. દર ત્રણ વર્ષે આવતા આ અધિક માસની પૂનમ નિમિત્તે સૌરાષ્ટ્ર અને ઝાલાવાડના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે […]










