ઊનાના ગાંગડા સમસ્ત ગામ દ્રારા તામીલનાડુમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ બીપીન રાવલ તેમની પત્નિ સહીત ૧૩ ફોજી જવાનો શહીદ થતા સમગ્ર દેશના રાષ્ટ્ર પ્રેમી લોકોમાં શોક છવાયેલ હતો. તેમની શ્રધ્ધંજલી માટે સમગ્ર ગામમાં શેરીમાં કેન્ડલ માર્ચ યોજી શહીદો અમર રહોના નારા સાથે ગુંજી ઉઠ્યુ હતુ. તેમજ ઉના શહેરમાં ટાવર ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન તેમજ ગો રક્ષક દળ યુવાનો દ્રારા તમામ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.


