Gujarat

સાવરકુંડલા તાલુકાના શેલણા ગામ ખાતે તાલુકાનો પ્રથમ સી.એન.જી. પેટ્રોલપંપનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.-  પૂ.ઉષામૈયા માતાજી અને પૂ. જ્યોતિમૈયા માતાજી તથા પૂર્વકૃષિ મંત્રી, સાંસદસભ્ય, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. સાવરકુંડલા તાલુકામાં સૌપ્રથમ સી.એન.જી. પંપ થવાથી તાલુકાની જનતામાં ખુશીનો માહોલ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના શેલણા ગામ ખાતે તાલુકાનો પ્રથમ સી.એન.જી. આર્યવિર પેટ્રોલપંપનું પૂ.જ્યોતિમૈયા માતાજી સનાતન આશ્રમ બાઢડા તથા પૂ.ઉષામૈયા માતાજી શિવદરબાર આશ્રમ કાનાતળાવ, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, સાંસદ નારાયણભાઈ કાછડીયા, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતના વરદ હસ્તે ઉદ્દઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવતા તાલુકાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ તકે અશોકભાઈ ખુમાણ ઠવી, નિવૃત્ત બેંક મેનેજર મહેશભાઈ જેબલીયા શેલણાં, પ્રતાપભાઈ કારેતા લુવારા, નગરપાલિકા પૂર્વચેરમન પ્રવીણભાઈ કોટિલા, મોટાઝીઝુંડા પુર્વસરપંચ ભાભલુભાઈ, જાબાળ પુર્વસરપંચ ભુપેન્દ્રભાઈ, હાથસણી પુર્વસરપંચ શિવરાજભાઈ,તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ મંગળુભાઈ,  ભયલુભાઈ ખુમાણ જાબાળ સરપંચ જયદીપભાઈ, જસફુભાઈ ખુમાણ મોટા લભમોદ્રા, દિલુભાઈ ખુમાણ ઘોબા, પ્રતાપભાઈ પટગીર સરપંચ ઘોબા, મોટાભમોદ્રા પૂર્વસરપંચ ધર્મેન્દ્રભાઈ , ધારાસભ્ય પીએ ભાવિન ગોસાઈ, જીલ્લા હોમગાર્ડ જનસંપર્ક અધિકારી અમીતગીરી ગોસ્વામી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211230-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *