સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ વોર્ડ નંબર પાંચનાં નાગનાથ સોસાયટી વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ગટર ઉભરાય છે. આ ગટરનાં ગંદા પાણી કોઈ રોગચાળાનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ગટરની સફાઈ કરવી જરૂરી છે. તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં આવેલી ઉભરાતી ગટરોને સાફ કરવા માંગ ઉઠી છે.. આ વિસ્તારમાંથી પસાર થતાં લોકો ભારે પરેશાન..અહીંથી પસાર થતા લોકો ફરજિયાતપણે ગંદા પાણીમાં ચાલવા મજબૂર.. તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ કરવી જરૂરી..

