નવીદિલ્હી
વીજળી સુધારા વિધેયક-૨૦૨૨ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષના ભારે વિરોધને કારણે તેને વિગતવાર ચર્ચા માટે સંસદીય સ્થાયી સમિતિમાં મોકલવામાં આવ્યું હતું. દરમિયાન ઉર્જા મંત્રી આરકે સિંહે વિપક્ષ પર ભ્રામક પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદી સરકાર વીજ સુધારા બિલ શા માટે લાવી? માર્ચ ૨૦૨૦ સુધીમાં દેશની સરકારી ડિસ્કોમ (ડ્ઢૈંજીર્ઝ્રંસ્) એટલે કે ડિસ્ટ્રિબ્યુશન કંપનીની ખોટ ૫.૨૩ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તેમાંથી ૭૦ ટકા દેશના માત્ર પાંચ રાજ્યોમાંથી આવે છે. આ રાજ્યોમાં તમિલનાડુ (રૂ. ૯૯૮૬૦ કરોડ), રાજસ્થાન (૮૬૮૬૮ કરોડ), ઉત્તર પ્રદેશ (૮૫૧૫૩ કરોડ), મધ્યપ્રદેશ (રૂ. ૫૨૯૭૮ કરોડ) અને તેલંગાણા (રૂ. ૪૨૨૯૩ કરોડ)નો સમાવેશ થાય છે. ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં, દેશની આવી માત્ર બે સરકારી ડિસ્કોમ નફામાં ચાલી રહી છે. આમાં ગુજરાતની ડિસ્કોમ ૧૩૩૬ કરોડના નફામાં છે. બીજી તરફ પશ્ચિમ બંગાળની ડિસ્કોમને ૩ કરોડનો નફો થયો છે. બીજી તરફ જ્યાં વિજળી વિતરણનું કામ ખાનગી કંપનીઓ કરી રહી છે ત્યાં તેઓ નફો કરી રહી છે. માર્ચ ૨૦૨૦માં દેશમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં કામ કરતી કંપનીઓનો કુલ નફો ૧૫૪૫૩ કરોડ રૂપિયા રહ્યો છે. તેમાંથી પશ્ચિમ બંગાળમાં કાર્યરત ઝ્રઈજીઝ્રનો નફો ૯૬૨૦ કરોડ રૂપિયા છે. દિલ્હીમાં કાર્યરત ત્રણ કંપનીઓ મ્ઇઁન્ (મ્જીઈજી રાજધાની પાવર લિમિટેડ), મ્રૂઁન્ (મ્જીઈજી યમુના પાવર લિમિટેડ) અને ્ઁડ્ઢડ્ઢઁ (ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ) નો કુલ નફો ૩૯૭૨ કરોડ રૂપિયાનો છે. આ સિવાય, ઉત્તર પ્રદેશમાં કાર્યરત દ્ગઁઝ્રન્ (ર્દ્ગંૈંડ્ઢછ ર્ઁંઉઈઇ ર્ઝ્રંસ્ઁછદ્ગરૂ ન્ૈંસ્ૈં્ઈડ્ઢ) ૯૪૫ કરોડના નફામાં છે જ્યારે મહારાષ્ટ્રમાં કામ કરતી કંપની (છઈસ્ન્) ૩૧ કરોડના નુકસાનમાં છે. વીજ વિતરણ કંપનીને વીજળીની સંપૂર્ણ કિંમત મળતી નથી. વીજળી ખરીદવા અને ગ્રાહકોને વેચવા વચ્ચે પાવર યુનિટમાં નુકસાન થવાનું નિશ્ચિત છે. આ નુકસાનને છ્શ્ઝ્ર (એગ્રીગેટ ટેકનિકલ અને કોમર્શિયલ) નુકશાન કહેવાય છે. આ નુકસાનનું એક પાસું ટેકનિકલ છે જેને થ્રેશોલ્ડથી નીચે ઘટાડી શકાતું નથી. તે જ સમયે, અન્ય પાસું છે વીજળીની ચોરી અને યોગ્ય વીજ બિલ બનાવવા અને બિલની ચુકવણી, જે યોગ્ય વ્યવસ્થાપન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, રાજ્યની વિતરણ કંપનીઓને વર્ષ ૨૦૧૫-૧૬માં દેશની કુલ વીજળીના લગભગ ચોથા ભાગની છ્શ્ઝ્ર ખોટ થતી હતી. છેલ્લા ૫ વર્ષમાં આ ખોટ માત્ર ૧૦ ટકા જ ઘટી છે. વર્ષ ૨૦૧૯-૨૦માં, છ્શ્ઝ્ર ખોટ ઘટીને ૨૧.૭૩ ટકા થઈ ગઈ. પરંતુ આ હજુ પણ ઘણું છે. આ જ ખાનગી ક્ષેત્રમાં વર્ષ ૨૦૧૫-૧૬માં આ નુકસાન ૧૨.૪૪ ટકા હતું જે ઘટીને ૮.૦૦ ટકા થયું છે. ખાનગી વીજ કંપનીઓએ તેમના છ્શ્ઝ્ર લોસમાં ૩૫ ટકાનો ઘટાડો કર્યો છે. દેશની ડિસ્કોમ્સની ખોટ દર વર્ષે વધી રહી છે. વર્ષ ૨૦૧૮માં જ્યાં ડિસ્કોમની ખોટ ૪.૪ લાખ કરોડ રૂપિયા હતી, તે માર્ચ ૨૦૨૦માં વધીને ૫.૨૨ લાખ કરોડ થઈ ગઈ છે. પાવર સેક્ટરમાં કોઈ સમસ્યા નથી. વર્ષોથી તેમને ખોટમાંથી બહાર કાઢવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. પરંતુ સમસ્યા વીજ વિતરણ કંપનીઓની ખોટની છે, જેના કારણે તેઓ વીજ ઉત્પાદન કરતી કંપનીઓને સમયસર ચુકવણી કરતી નથી. જેના કારણે તેમની લેણી રકમ વધી રહી છે. વધતા લેણાંના કારણે વીજ કંપનીઓનું નાણાકીય સંચાલન ખોરવાઈ જાય છે. છેલ્લા ૬ વર્ષમાં વીજ ઉત્પાદન કંપનીઓને વીજ વિતરણ કંપનીઓના લેણાંમાં ૬ ગણો વધારો થયો છે. જુલાઈ ૨૦૧૬માં જ્યાં બાકી રકમ ૧૭૦૩૮ કરોડ રૂપિયા છે. જે જુલાઈ ૨૦૨૧માં વધીને ૧.૦૮ લાખ કરોડ થઈ ગઈ છે. પ્રસ્તાવિત બિલમાં, દ્ગન્ડ્ઢઝ્ર (નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર)ને ૨૦૦૩ના વીજળી અધિનિયમની કેટલીક કલમોમાં સુધારો કરીને વધુ તાકાત આપવામાં આવી છે. દ્ગન્ડ્ઢઝ્ર એ દેશભરમાં પાવર સિસ્ટમની સંભાળ રાખતી સંસ્થા છે. પ્રસ્તાવિત બિલના સુધારામાં ઘણી જગ્યાએ એવું લખવામાં આવ્યું છે કે દ્ગન્ડ્ઢઝ્રને કોઈ પણ નિશ્ચિત કરારની ચુકવણી ન કરવાની સ્થિતિમાં વીજળીનો પુરવઠો ન આપવાનો અધિકાર છે. ઈલેક્ટ્રીસીટી એમેન્ડમેન્ટ બિલ-૨૦૨૨ હેઠળ વીજળીના વિતરણનું કામ ખાનગી કંપનીઓને સોંપવામાં આવી શકે છે. સરકારનું કહેવું છે કે આનાથી વીજળી ગ્રાહકો માટે મોબાઈલ કનેક્શન જેવી કોઈપણ કંપનીની સેવા લેવી શક્ય બનશે. આ બિલના વિરોધીઓનું કહેવું છે કે આ બિલ પછી સરકારી કંપનીએ દરેકને સર્વિસ આપવી પડશે. જ્યારે ખાનગી ડિસ્કોમ કંપનીઓ ઉદ્યોગો અને ગ્રાહકોને બિઝનેસ કનેક્શન સાથે સેવાઓ આપશે, જેમાં વધુ નફો છે. પ્રસ્તાવિત બિલમાં દ્ગન્ડ્ઢઝ્ર (નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર)ને મજબૂત બનાવવામાં આવ્યું છે. નિયત કરાર પૂરો ન થવાના કિસ્સામાં તેને વીજળી ન આપવાનો અધિકાર હશે. વિરોધીઓની દલીલ છે કે વીજળી એ સમવર્તી વિષય છે. આના પર કેન્દ્ર પાસે વધુ પડતી સત્તા છે તે ખોટું છે. તેની સત્તાઓ રાજ્ય પાસે હોવી જાેઈએ. રાજ્યોને પોતાની મરજી મુજબ તેનો ર્નિણય લેવાની સત્તા હોવી જાેઈએ.


