નવીદિલ્હી
ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ ઝ્રસ્ને ટેગ કરીને કહ્યું કે ‘ યોગી આદિત્યનાથજી, તમારા ભાષણોમાં કાયદો અને વ્યવસ્થાની વાત કરવાનું બંધ કરો. તમારા વહીવટમાં મહિલાઓને ન્યાય માટે ઘરે-ઘરે ભટકવું પડે છે. જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે, ત્યારે તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી. મહિલાઓ પર ત્રાસ ગુજારવામાં આવે છે અને તેમની હત્યા કરવામાં આવે છે અને તમે ખોટા દાવાઓમાં વ્યસ્ત છો. સાથે જ હત્યારાનો સંબંધ સમાજવાદી પાર્ટીના નેતા સાથે જાેડવામાં આવી રહ્યો છે. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે તેની સાથે સમાજવાદી પાર્ટીના નેતાનું નામ જાેડવામાં આવી રહ્યું છે. તેમને ગુજરી ગયાને ૪ વર્ષ થઈ ગયા છે. અખિલેશ યાદવે છદ્ગૈં સાથેની વાતચીતમાં કહ્યું કે, જે લોકો જીઁમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમનું ૪ વર્ષ પહેલા અવસાન થયું હતું. આખરે પોલીસને તેમને શોધવામાં આટલા દિવસો કેમ લાગ્યા? પોલીસ આ પહેલા પણ કડક કાર્યવાહી કરી શકી હોત. મૃતક બાળકીની માતા જે પણ માંગણી કરી રહી છે, તે પૂરી થવી જાેઈએ. આ પહેલા સમાજવાદી પાર્ટીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાજપના શાસનમાં અન્યાય હેઠળ ઉન્નાવમાં દીકરી પર જઘન્ય અપરાધ કરવામાં આવ્યો હતો. દલિત પુત્રીની હત્યા માટે સીએમ જવાબદાર છે. હત્યારાને એસપી સાથે કોઈ લેવાદેવા નથી. મિશન શક્તિનો પ્રચાર કરતી સરકારમાં પુત્રીની અરજી સાંભળવામાં આવી ન હતી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના. ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જાેઈએ. બીજી તરફ ઉન્નાવ પોલીસના છજીઁ શશિ શેખર સિંહે જણાવ્યું કે, ૮ ડિસેમ્બરે એક છોકરી ગુમ થયાની જાણ થઈ હતી. તેના આધારે અમે હ્લઇૈં નોંધી છે. અમે એક શંકાસ્પદની ધરપકડ કરી છે અને તેના આધારે અમને ગુરુવારે મૃતદેહ મળ્યો હતો.ઉન્નાવ હત્યા કેસમાં હવે રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉન્નાવમાં જે થયું તે ઉત્તર પ્રદેશમાં નવું નથી. દલિત બાળકીની માતા પોતાની પુત્રીને શોધવા માટે ઓફિસોના ચક્કર લગાવતી રહી, આખરે તેને તેની પુત્રીની લાશ મળી. વહીવટીતંત્રે તેમની વાત સાંભળી નહીં. આ મુદ્દે રાજનીતિ કરવાને બદલે ભાજપે જવાબ આપવો જાેઈએ કે વહીવટીતંત્ર જાન્યુઆરીથી તે માતાને કેમ દોડાવતું રહ્યું? આ દીકરીની માતાની આજીજી કોણે ન સાંભળી?


