Delhi

કેન્દ્ર ફ્યૂલ પર ૬૮ ટકા ટેક્સ લે છે તો રાજ્યો પર દોષ કેમ ઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી
કોંગ્રેસ કાચા તેલની ઓછી આંતરરાષ્ટ્રીય કિંમતો છતાં ઈંધણ પર હાઈ ટેક્સ માટે સરકાર પર હુમલો કરતી રહી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રીનું નિવેદન તથ્યો પર આધારિત નથી. તેમણે માંગ કરી કે મોદી સરકાર પહેલાં કેન્દ્રીય ઉત્પાદન શુલ્કનો હિસાબ આપે, જેના દ્વારા કેન્દ્રએ છેલ્લા ૮ વર્ષમાં ૨૭ લાખ કરોડ રૂપિયા કમાયા છે. રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલ પર એકત્ર કરવામાં આવેલા ટેક્સના ૬૮ ટકા કેન્દ્ર સરકારના ભાગમાં જાય છે. ૩૨ ટકા રાજ્ય સરકારો પાસે જાય છે. તેવામાં રાજ્ય સરકારો પાસે આશા કરવી, જે પહેલાથી જીએસટીના પોતાના ભાગથી વંચિત છે, મને લાગે છે તે અન્યાયપૂર્ણ છે. મહત્વનું છે કે પીએમ મોદીએ કોરોનાના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિથી સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. પેટ્રોલ ડીઝલની વધતી કિંમતનો ભાર ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં પાછલા નવેમ્બરમાં ઘટાડો કર્યો હતો. તેમણે રાજ્યોને આગ્રહ કર્યો કે તે પોતાને ત્યાં ટેક્સ ઘટાડે. કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને ઈંધણની ઉંચી કિંમતો અને ટેક્સ માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવી અને આરોપ લગાવ્યો કે સરકારનો સંઘવાદ સહકારી નહીં, પરંતુ બળજબરી છે. તેને લઈને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું. તેમાં લખ્યું કે ઉંચી ઈંધણની કિંમત પર રાજ્યોને દોષ આપો. કોલસાની કમી પર રાજ્યોનો દોષ આપો. ઓક્સીજનની કમી પર રાજ્યોનો દોષ આપો. તમામ પ્રકારના ફ્યૂલ પર કેન્દ્ર સરકાર ૬૮ ટકા ટેક્સ લઈ રહી છે. છતાં પીએમ જવાબદારીથી બચે છે. મોદીનો સંઘવાદ સહકારી નથી, બળજબરી છે.

Rahul-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *