ઊનાના દુધાળામાં શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ મહાકાળી માતાજીના મંદિરે યોજાય હતી. જેમાં શ્રીકૃષ્ણ જન્મની કથા, શિવ વિવાહ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતો. તેમજ તુલસી વિવાહ, માં ગાયત્રી મહીમા તા.૩૧ તેમજ તા. ૧ કાર્યક્રમ યોજાશે. આ કથાના વક્તા શાસ્ત્રી સંકેતભાઇ પંડ્યા સનખડા વાળા સંગીતમય શૈલીમાં તેમની અમૃતવાણીથી કથાનું અમૃતપાન કરાવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લીધો હતો. મહેશભાઇ પ્રેમશંકર જોષી, હરેશભાઇ પ્રેમશંકરભાઇ જોષી, પુનિતભાઇ પ્રેમશંકરભાઇ જોષી તથા સમસ્ત યજમાન પરીવાર દ્રારા આયોજન કરવામાં આવ્યુ છે.


