ગિરગઢડા
ભરત ગંગદેવ.
માધુપુર ગીર થી તાલાલા રસ્તા પર 11 દિવસ માં 19 એક્સિડેન્ટ થયાં જે ગંભીર બાબત છે રોડ ના પ્રોબ્લેમ ના હિસાબે વારંવાર એક્સિડેન્ટ થયાં છે જેમાં એક વ્યક્તિ નો જીવ પણ લેવાયો ટ્રાફિક વગર ના રોડ પર વારંવાર એક્સિડેન્ટ થતા કાર્યપાલક નાયબ ઈજનેર ગીર સોમનાથ સુધી રજૂઆત કરવામાં આવી કાર્યપાલક દ્વારા ટ્રાફિક ના લીધે થાય તેવા ઉડાવ જવાબ આપી પોતાનો બચાવ કરવામાં આવે છે કારપેટ ની જગ્યા પર ખાલી ડામર નાખવાથી ચોમાસામાં ચિકાશ ના લીધે આવા એક્સિડેન્ટ થાય છે ગઈ કાલે રાજકોટ ઉના ST બસ ઓવરટેક કરવામાં રોન્ગ સાઈડ માં નીચે ઉતરી આજ રોજ સવારે ટ્રક ભેંસ સાથે અથડાયો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આ માર્ગ નું નામ બદલી અકસ્માત માર્ગ કહેવા લાગ્યા લોકો નિર્દોષ લોકો ના હજી પણ ભોગ લે તે પહેલા બાંધકામ વિભાગના અધિકારીઓ અકસ્માત નિવારણ પરિણામ લક્ષી ઠોંસ કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠી છે
વિજય હિરપરા સામાજિક કાર્યકર


