દેવભૂમિ દ્વારકા માં સ્થિત જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશને અક્ષય તૃતીયા નિમિત્તે ચંદનના લેપનો શૃંગાર કરવામાં આવ્યો છે . જેના દર્શન અને આરતીનો શ્રધાળુઓ એ લાભ લીધો છે . ઉનાળામાં ઠંડક માટે ભગવાન શ્રીદ્વારકાધીશને અષાઢી બીજ સુધી ચંદન અને ફૂલોના શૃંગાર ધરવામાં આવશે . ગુજરાત ભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે ત્યારે ભગવાન શ્રીદ્વારકાધીશને ગરમી ન લાગે તે માટે આજે અક્ષય તૃતીયાથી અષાઢી બીજ સુધી ચંદન વાઘા અને આવતીકાલથી પુષ્પ શૃંગારના દર્શન થશે . આજે અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન શ્રી દ્વારકાધીશ.ને ચંદનના લેપ લગાડવામાં આવ્યો છે . આમ , આજના દિવસે અનેદિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ચંદન ના લેપથી શુશોભીત દ્વારકાધીશ ના દર્શનનો લાભ લીધો છે . આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી ભગવાન શ્રીદ્વારકાધીશને ગરમી ન લાગે તેવા હેતુ સાથે પરંપરા મુજબ બહારથી ચંદન મંગાવી સાથે કેસર , કસ્તુરી , ગોલોચન , અંબર જેવા દિવ્ય દ્રવ્યોનું મિશ્રણ કરી ભગવાનને મસ્તકથી ચરણ સુધી ચંદનનો લેપ લગાડી શૃંગાર કરવામાં આવે છે . ત્યારે આજે અખાત્રીજથી ભગવાનને ચંદન વાઘાના શૃંગારની શરૂઆત થઈ ગઈ છે . આજે ઉત્સવ દર્શન અને આરતીનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા . આજે અક્ષય તૃતીયાથી છેક અષાઢી બીજ સુધી ભગવાનને રોજ સવારે ચંદનના લેપનો શૃંગાર કરવામાં આવશે . કારણ કે અહીં ભગવાન રાજા સ્વરૂપે બિરાજે છે . ત્યારે આજથી ભગવાનને સોના – ચાંદીના આભૂષણોને બદલે ચંદનનો લેપ લગાડી શૃંગાર કરવામાં આવશે . તેમજ આવતીકાલથી દરરોજ બપોર બાદ ભગવાનને પુષ્પોનો શૃંગાર કરવામાં આવશે .
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા


