માણાવદર સરકારી, ઔદ્યોગીક તાલીમ સંસ્થા(આઇ.ટી.આઇ.) ખાતે અંગ્રેજી વિષયની તાલીમ આપવા અર્થે માનદ અતિથી વ્યાખ્યાતાઓની જરૂરિયાત હોય, જેથી બી.એ. બી.એડ, બી.એ. એમ.એડ, એમ.એ. બી.એડ, એમ.એ.એમ.એડ.ની લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૧૫ દિવસમાં યોગ્ય લાયકાતના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો તથા અનુભવના પ્રમાણપત્રો નકલ સાથેની અરજી માણાવદરની કચેરી ખાતે રૂબરૂ અથવા તો રજી.ટપાલથી મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા, માણાવદર, ગૌશાળા સામે, જૂનાગઢ રોડ, માણાવદર ખાતેના સરનામાં ઉપર રૂબરૂ તપાસ કરવા આચાર્યશ્રી, ઔદ્યોગીક તાલીમ સંસ્થા, માણાવદર દ્વારા જણાવવામાં આવ્યું છે.
