રાજકોટ
નર્સીંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યા,સ કરતી છાત્રાએ આપઘાત કર્યો પણ આપઘાતનું કારણ સામે આવ્યું નથી કે કોઈ સ્યુસાઇડ નોટ મળવા પામી નથી ત્યારે હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલા ગર્વમેન્ટા ક્વાધર્ટરમાં સી-૧૦૮ માં રહેતી અને ટી એન રાવ કોલેજમાં નર્સીંગનો ત્રીજા વર્ષમાં અભ્યાટસ કરતી શ્વેતા રામસિંગભાઇ પામક (ઉ.વ.૧૯) નામની છાત્રાએ ચુંદડીથી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યામપી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યાિ મુજબ શ્વેતા બે બહેનમાં મોટી હતી. તેના પિતા સરકારી કોન્ટ્રા ક્ટુર છે. માતા નર્સ તરીકે ફરજ બજાવે છે. શ્વેતાના માતા રેખાબેન શાકભાજી લેવા ગયા હતાં અને નાની બહેન ટયુશનમાં ગઇ હતી. પિતા પણ કામ સબબ બહાર હતાં. માતા શાકભાજી લઇ પરત ઘરે આવ્યાટ ત્યાીરે દિકરી લટકતી જાેવા મળતાં કલ્પાંબત સર્જાયો હતો.


