ગાંધીનગર
મહિનાના ચોથા ગુરુવારે યોજાતો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ૨૩ જૂનના રોજ અનિવાર્ય સંજાેગોમાં લીધે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી ગુરૂવાર તા.ર૩ જૂન-ર૦રરના યોજાનારો રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મૂલત્વી રાખવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ, રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણનો આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ થ્રૂ એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી ‘સ્વાગત’નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં યોજવામાં આવે છે. આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સ્વયં ઉપસ્થિત રહીને લોકોની રજુઆતો સાંભળતા હોય છે અને સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપતા હોય છે. આગામી ગુરૂવાર તા.ર૩ મી જૂન-ર૦રરના ગાંધીનગર ખાતે યોજાનારો આવો રાજ્ય સ્વાગત કાર્યક્રમ અનિવાર્ય કારણોસર યોજાશે નહિ. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા સૌ અરજદાર નાગરિકોને આ અંગેની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


