Gujarat

રથયાત્રા પૂર્વે અમદાવાદ કમિશ્નર સહિત અધિકારીઓનું નાઈટ પેટ્રોલિંગ

અમદાવાદ
અમદાવાદની રથયાત્રા ઘણી પ્રખ્યાત છે અને ઘણા વર્ષોથી રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળે છે ત્યારે રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ રસ્તા પર પેટ્રોલિંગ માટે ઉતર્યા હતા. સરપ્રાઈઝ વિઝિટના કારણે કેટલાક વિસ્તારમાં પોલીસ કર્મચારીઓમાં હાલની સ્થિતિ વિશે વાકેફ કરવામાં આવ્યા હતા. આ અંગે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રથયાત્રા આવી રહી છે ત્યારે શહેરમાં કેટલાક ભાંગફોડીયા તત્વોને તાત્કાલિક અસરથી કંટ્રોલ કરવા તેમજ રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય અને ભગવાન જગન્નાથના પ્રહલાદ દરમિયાન લોકો તેમના દર્શન શાંતિપૂર્વક રહે તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ તૈયારીનો એક ભાગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *