સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
————————————————————————————————-
આ કાળઝાળ ગરમીમાં લોકોને તરબુચનો સ્વાદ એટલે જાણે તૃષા છીપાવવાનો અમીનો ઓડકાર સમો કહેવાય.. આમ તો ધોમધખતાં તડકામાં જ આ ઉનાળાની સિઝનમાં જ તરબુચ આવે છે. અહીં સાવરકુંડલા શહેરમાં પણ ઠેર ઠેર તરબુચ વેચાણ થતાં જોવા મળે છે. તેમાં પણ હાથસણી રોડ ખાતે આવેલાં મહાકાળી ચોક પાસે જયેશભાઈ નામના તરબુચના વેપારી ખૂબ મીઠાં મધ જેવા પાકલ તરબુચ ખૂબ જ વ્યાજબી ભાવે વેચાણ કરતાં જોવા મળે છે. આમ તો આ કાળઝાળ ગરમી અને મોંઘવારીના કાળમાં આવા તરબૂચ ખાઈને પણ માનવી થોડી ઘણી માનસિક ઠંડક મેળવતાં જોવા મળે છે.

