ગીર-સોમનાથ
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યના તમામ કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની સેવા સમિતિઓ સાથે જોડાયાલા ૧૬૫ જેટલા પેનલ એડવોકેટ વર્ચ્યુલી સહભાગી થયા હતા. આ વેબિનારમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ શ્રી આર.એમ. છાયાએ કાનૂની માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી જે.એમ. પંચાલે સેસન્સ ટ્રાયલ વખતે ધ્યાનમાં રાખવા માટેની જરૂરી બારીકાઈઓ વિશે છણાવટ કરી હતી. તેમ એક યાદીમાં જણાવાયું છે.
