Gujarat

ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભમાં દ્રોણેશ્વર ગુરુકુલના  ૮૦ વિદ્યાર્થીઓની જીલ્લા કક્ષાએ પસંદગી 

ગિરગઢડા
  ભરત ગંગદેવ..
વર્ષ ૨૦૨૨નો ખેલ મહાકુંભ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સાંનિધ્ય માં શુભારંભ થયો. સમગ્ર ગુજરાત રાજ્યમાં તાલુકા લેવલનું ખેલાડીઓ દ્વારા અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું. આ તકે માતુ  આર. ડી. વરસાણી વિદ્યાલય ગુરુકુલ દ્રોણેશ્વરના વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ તથા સમુહ રમત ગમત વગેરે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શાળાના ૮૦ બાળકોની જીલ્લા લેવલે રમવા માટે પસંદગી કરવામાં આવી છે. યોગ, કબ્બડ્ડી, ખો ખો જેવી સ્પર્ધામાં વિજેતાને સંસ્થાના અધ્યક્ષ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજી વતી આચાર્ય શ્રી મહેશભાઈ જોશીએ બિરદાવ્યા હતા. સમગ્ર આયોજનમાં અનિલભાઈ બાંભણીયાએ સેવા આપી હતી

IMG-20220404-WA0262.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *