જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટીના રહીશો દ્વારા પ્રથમ વખત સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાનો આયોજન કરી નવ દિવસ સુધી દાદા ની દરરોજ મહાઆરતી પુજા આરધના સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામા આવ્યા હતા. આ સાથે સમાજના લોકોમા પયાઁવરણ તેમજ પ્રકૃતિ બચાવવા માટે પણ એક અલગ મેસેજ જાય તે માટે ગણેશજીની ઇકોફેંડલી માટીની મૂર્તિની સ્થાપના કરાઈ હતી ત્યારે આજરોજ રહીશો દ્વારા પ્રકૃતિ પ્રેમ દર્શાવાની સાથેજ ઈશ્વરીય તાદાત્મ્ય જાડવાઈ રહે આ માટે મૂર્તિ નૂ શાસ્ત્રોકત વિધિ સાથે વિસર્જન સોસાયટીના એક કુંડ માં ચોખુ પાણી ભરી અબીલ ગુલાલ તેમજ ગુલાબના ફુલ સાથે ગણપતી બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ ના નાદ સાથે શ્રદ્ધાભેર કરાયુ હતુ. વિસર્જન બાધ આ કુંડ નુ પાણી અને પવિત્ર માટી સોસાયટીના દરેક રહીશોને પ્રસાદી સ્વરુપે ઘરોમા ફુલના કુંડાઓમા અથવા વૃક્ષરોપણના ઉપયોગમા લેવામા આવશે તેવુ પણ જણાવ્યુ હતુ,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


