મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે, જે દિવસે તેઓ મુંબઈ આવશે, તેમાંથી અડધાથી વધુ લોકો સીધા શિવસેનાભવન જશે. બાકીના અડધા ધારાસભ્યોને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે નહીં. સુભાષ દેસાઈએ બળવાખોર ધારાસભ્યોને ધમકી આપતા જણાવ્યું હતું કે, શિવસેના એટલુ વિશાળ સંગઠન છે કે, અમે એરપોર્ટને ૨૪ કલાક,૪૮ કલાક, ૭૨ કલાક કે તમે કહો ત્યાં સુધી ઘેરી રાખી શકીએ છીએ. જાે છત્રપતિ શિવાજીની તલવાર દુશ્મનોને ડરાવે છે, તો એકનાથ શિંદેઅને અન્ય બળવાખોર ધારાસભ્યો મુંબઈ આવતા ડરશે નહીં તો બીજું શું કરશે. બળવાખોર ધારાસભ્યોએ ૧૧ જુલાઈ સુધી આરામ કરવો જાેઈએ આ દરમિયાન શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું નિવેદન પણ આવ્યું છે અને તેમણે બળવાખોર ધારાસભ્યોનેઆરામ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ ૧૧ જુલાઈ સુધી આરામ કરવો જાેઈએ. મહારાષ્ટ્રમાં તેમની પાસેકોઈ કામ નથી. આ પહેલા તેમણે ટ્વીટ કરીને બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું હતું અને ટિ્વટર પર લખ્યું હતું કે, ‘જહલત એકપ્રકારનું મોત છે. ગોથ લોકો લાશો ખસેડી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં બળવાને લઈને ભાજપના નેતા રામ કદમે શિવસેનાને ટોણો માર્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું, ‘જેઓએ હનુમાનચાલીસાને નકારી હતી. તેમને તેમના જ ચાલીસ ધારાસભ્યોએ પાર્ટી છોડીને ચાલતી પકડી છે. શું આને દૈવી શિક્ષા કહી શકાય?’ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભારતીય જનતા પાર્ટીનામોટા નેતાઓની બેઠક છે. આ બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને સતર્કરહેવા જણાવ્યું છે.મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ સતત વધી રહી છે અને આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી સુભાષ દેસાઈએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ખુલ્લી ધમકીઓ આપી છે. કેબિનેટ મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે, જાે બળવાખોર ધારાસભ્યો મુંબઈ એરપોર્ટ પર આવશે, તો તેઓ ત્યાંથી બહાર નીકળી શકશે નહીં.


