International

કેનેડામાં વિરોધ પ્રદર્શનથી દેશના અર્થતંત્રને થઈ શકે છે અસર

કેનેડા
દેશમાં કોવિડ રસીકરણના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકાર એવા લોકો માટે ફરજિયાત ઁઝ્રઇ પરીક્ષણો સમાપ્ત કરવાની તૈયારી કરી રહી છે જેમણે રસીકરણ પૂર્ણ કર્યું છે. આ ર્નિણયના અમલ પછી કોઈપણ કેનેડિયન નાગરિકને વિદેશ પ્રવાસ માટે ઁઝ્રઇ ટેસ્ટની જરૂર પડશે નહીં. યુએસના બિડેન વહીવટીતંત્રે કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોને વિનંતી કરી કે તેઓ દેશમાં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ પ્રતિબંધોનો વિરોધ કરી રહેલા લોકો દ્વારા ટ્રક નાકાબંધીને સમાપ્ત કરવા માટે તેની સંઘીય સત્તાઓનો ઉપયોગ કરે. કારણ કે સતત પ્રદર્શનના કારણે બંને દેશોની ઓટો કંપનીઓને ઉત્પાદન બંધ કરવા અથવા ઘટાડવાની ફરજ પડી છે. છેલ્લા ચાર દિવસથી ટ્રક ચાલકોએ વિન્ડસર, ઓન્ટારિયોને જાેડતા એમ્બેસેડર બ્રિજને બ્લોક કરી દીધો છે. જેના કારણે બંને દેશો વચ્ચે ઓટો પાર્ટ્‌સ અને અન્ય ઉત્પાદનોનો પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાય છે.ટ્રક ડ્રાઈવરોના વિરોધ વચ્ચે કેનેડાના ઓન્ટારિયોમાં ઈમરજન્સી જાહેર કરાઈ, મોટાપાયે ધંધાકીય અસર થવાની આશંકાટ્રક ડ્રાઈવરોના ભારે વિરોધ વચ્ચે કેનેડાના ઓન્ટારિયોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. જેના કારણે દેશ સાથે અમેરિકાના મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ બિઝનેસને મોટા પાયે અસર થવાની સંભાવના છે. પ્રાંતના પ્રીમિયર ડગ ફોર્ડએ આ માહિતી જાહેર કરવામાં આવી છે. એક પ્રેસ બ્રીફિંગમાં ફોર્ડે જણાવ્યું હતું કે તે કેબિનેટની બેઠક બોલાવશે અને આદેશોનો તાત્કાલિક અમલ કરવા માટે કાનૂની સત્તાઓનો સહકાર મેળશે, આનાથી તે એકદમ સ્પષ્ટ થઈ જશે કે જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે માલસામાન, લોકો અને સેવાઓની અવરજવરને રોકવા અને તેમાં ભંગ પાડવો એ ગેરકાયદેસર અને સજાપાત્ર છે. ફોર્ડે વિરોધીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે સરકારના આદેશનું પાલન ન કરવા બદલ દંડ અને જેલની સજાની જાેગવાઈ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *