Delhi

રશિયન સુપ્રીમોના એ ૧૦ ટીકાકારના રહસ્યમય મોત અંગે આ જરૂરથી નહિ જાણતા હોવ..

નવીદિલ્હી
હાલમાં મોસ્કો પ્લેન ક્રેશમાં વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિન સહિત ૧૦ લોકોના મોત થયા છે. આ પછી સવાલો ઉઠવા લાગ્યા છે કે પ્રિગોઝિનનું મોત હત્યા હતી કે કાવતરું? શંકાની સોય પુતિન તરફ તાકાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિને આ હત્યા કરાવી છે. આનું કારણ એ છે કે પુતિન સામે બળવો કર્યાના ૬૦ દિવસ પછી જ પ્રિગોઝિનનું મૃત્યુ થયું હતું. પ્રિગોઝિનની મોસ્કો કૂચ પછી, પુતિને કહ્યું હતું કે તે બદલો લેશે અને પ્રિગોઝિનને ક્યારેય માફ નહીં કરે. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રિગોઝિન ગમે ત્યારે મરી શકે છે. જાેકે પ્રિગોઝિનના મૃત્યુને લઈને હાલમાં સસ્પેન્સ છે, પરંતુ આ પ્રકારનું આ પ્રથમ સસ્પેન્સ નથી. જેણે પુતિનને આંખ બતાવી છે તેનો જીવ રહસ્યમય રીતે ગયો છે. આવી સ્થિતિમાં, તમને પુતિનના તે ૧૦ ટીકાકારો વિશે જણાવીએ છીએ જેમના મૃત્યુ પર હજુ પણ સસ્પેન્સ છે.
પુતિનના એ ૧૦ ટીકાકારો, જેમનું મૃત્યુ આજે પણ રહસ્યમય છે. જેમાં પ્રથમ જાે કોઈ વ્યક્તિની વાત કરીએ તો, સેર્ગેઈ યુશેન્કોવ, ૨૦૦૩.. જે જણાવીએ, સર્ગેઈ યુશેન્કોવ એક રશિયન રાજકારણી હતા. રશિયામાં રાજકીય નેતા તરીકે ઉદારવાદી ચળવળમાં સામેલ હતા. મોસ્કોમાં તેના ઘરની બહાર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુશેન્કોવ પુરાવા એકઠા કરી રહ્યો હતો. તેમનું માનવું હતું કે ૧૯૯૯માં એપાર્ટમેન્ટ બોમ્બ ધડાકા પાછળ પુતિન સરકારનો હાથ હતો.
દ્વિતીય વ્યક્તિની વાત કરીએ તો, એલેક્ઝાન્ડર લિટવિનેન્કો, ૨૦૦૬.. જે જણાવીએ, એલેક્ઝાંડર લિટવિનેન્કો ભૂતપૂર્વ કેજીબી એજન્ટ હતા. તે લંડનની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેને ઝેર આપીને મારવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે તેની ચામાં પોલોનિયમ-૨૧૦ ભેળવવામાં આવ્યું હતું, જે પીધાના ત્રણ અઠવાડિયા પછી તેનું મૃત્યુ થયું હતું. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લિટવિનેન્કોને ઝેર આપવામાં આવ્યું હતું. તેને એફએસબી એજન્ટો આન્દ્રે લુગોવોઈ અને દિમિત્રી કોવતુન દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. પુતિને આમ કરવાનું કહ્યું હતું.
ત્રીજા વ્યક્તિની વાત કરીએ તો, અન્ના પોલિટકોવસ્કાયા, ૨૦૦૬.. જે જણાવીએ, અન્ના પોલિટકોવસ્કાયા રશિયાના પત્રકાર હતા. પુતિનના કટ્ટર વિવેચક પોલિટકોસ્કાયાએ નોવાયા ગેઝેટા માટે કામ કર્યું હતું. તેમના પુસ્તક ‘પુટિન્સ રશિયા’માં તેમણે પુતિન પર રશિયાને પોલીસ રાજ્યમાં ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. ૨૦૦૬માં તેની જ બિલ્ડિંગની લિફ્ટમાં તેને નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ચોથો વ્યક્તિની વાત કરીએ તો, નતાલિયા એસ્ટેમિરોવા, ૨૦૦૯.. જે જણાવીએ, પત્રકાર નતાલ્યા એસ્ટેમિરોવાની ૨૦૦૯માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેણે ચેચન્યામાં અપહરણ અને હત્યાઓની તપાસ કરી. એસ્ટેમિરોવાનું તેના ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું અને માથામાં પોઈન્ટ-બ્લેન્ક શોટ સહિત ઘણી વખત ગોળી મારી હતી અને નજીકના જંગલમાં ફેંકી દેવામાં આવી હતી.
પાંચમાં વ્યક્તિની વાત કરીએ તો, સેર્ગેઈ મેગ્નિટસ્કી, ૨૦૦૯.. જે જણાવીએ, નવેમ્બર ૨૦૦૯ માં, સેરગેઈ મેગ્નિત્સકીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું. સર્ગેઈ રશિયાના જાણીતા વકીલ હતા. તેનુ નામ મોટી કરચોરી સામે આવ્યું હતું. કરચોરીમાં પોલીસનો પણ હાથ હોવાનું તેમનું માનવું હતું. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે.
છઠ્ઠા અને સાતમાં વ્યક્તિની વાત કરીએ તો, સ્ટેનિસ્લાવ માર્કેલોવ અને એનાસ્તાસિયા બાબુરોવા, ૨૦૦૯.. જે જણાવીએ, સ્ટેનિસ્લાવ માર્કેલોવ અને એનાસ્તાસિયા બાબુરોવા પણ પુતિનના કટ્ટર ટીકાકારો હતા. બંનેની વર્ષ ૨૦૦૯માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્ટેનિસ્લાવ માર્કેલોવ માનવ અધિકારના વકીલ હતા. તેણે પોલિટકોસ્કાયા અને અન્ય પત્રકારોનું પ્રતિનિધિત્વ કર્યું. એક માસ્ક પહેરેલા બંદૂકધારીએ તેને ક્રેમલિન નજીક ગોળી મારી હતી. જ્યારે અનાસ્તાસિયાએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આઠમાં બોરિસ બેરેઝોવ્સ્કી, ૨૦૧૩.. જે જણાવીએ, એક સમયે ક્રેમલિન સત્તામાં મહત્વની ભૂમિકા ભજવનાર બેરેઝોવ્સ્કી થોડા સમય પછી પુતિનના સૌથી મોટા વિરોધી બની ગયા. પુતિન સાથેના અણબનાવ બાદ તે વર્ષ ૨૦૦૦માં બ્રિટન ગયા હતા. વર્ષ ૨૦૧૩માં તે લંડનના બર્કશાયરમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. બેરેઝોવ્સ્કી તેના ગળા પર પાટો બાંધેલી અવસ્થામાં બાથરૂમની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો.
નવમાં વ્યક્તિની વાત કરીએ તો, બોરિસ નેમ્ત્સોવ, ૨૦૧૫.. જે જણાવીએ, બોરિસ નેમ્ત્સોવ પુતિનના કટ્ટર વિરોધી હતા. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા અને ૨૦૧૪ માં પૂર્વ યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરવા માટે તેઓ એક અગ્રણી સરકાર વિરોધી વ્યક્તિ બન્યા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ, રશિયાના અગ્રણી વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન બોરિસ નેમત્સોવની મોસ્કોમાં હત્યા કરવામાં આવી હતી. તેને ક્રેમલિનથી થોડા જ અંતરે ગોળી મારી દેવામાં આવી હતી. ડેનિસના મૃત્યુને લઈને હજુ પણ સસ્પેન્સ છે.
છેલ્લા અને દસમા વ્યક્તિની વાત કરીએ તો, ડેનિસ વોરોનેન્કોવ, ૨૦૧૬.. જે જણાવીએ, ભૂતપૂર્વ રશિયન સાંસદ ડેનિસ વોરોનેન્કોવના મૃત્યુ પર આજે પણ સસ્પેન્સ યથાવત્‌ છે. ૨૦૧૬માં રશિયામાંથી ભાગી ગયા બાદ ડેનિસે પુતિનની ટીકા કરવાનું શરૂ કર્યું હતું. આ પછી યુક્રેનની રાજધાની કિવમાં ડેનિસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *