પ્રતિનિધિ, રેહાન પટેલ છોટાઉદેપુર
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી આદિ મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં હસ્તે ઉદ્ઘાટન મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેશના દરેક રાજ્યોમાં થી વિવિધ હસ્તકલા, શિલ્પ કળા થી આદિવાસી ઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ વસ્તુઓ નાં ૨૦૦થી વધુ વેચાણ સ્ટોલ દ્વારા આદિવાસી ઓ પોતાના હાથ શિલ્પ કળા દ્વારા બનાવાયેલ વસ્તુઓ વેચીને આત્મનિર્ભર બનશે તેમજ દરેક રાજ્યોમાં થી વિવિધ હસ્તકલા શિલ્પ કળા દ્વારા બનાવાયેલ વસ્તુઓ માટે ભાગ લેનાર આદિવાસી કલાકારો ને દિલ્હી ખાતે આવવા જવા તથા રહેવા જમવા સહિતની વ્યવસ્થા ઓ માટે નો ખર્ચ ટ્રાઈફેડ ઉઠાવશે તેમ પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ ભાઈ રાઠવા એ જણાવ્યું હતું.


