સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખડસલી વીજપડી, મેરીયાણા, ભંમર, હાડીડા, નવાગામ ચીખલી, ઘાંડલાના બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભગવાન પરશુરામની પૂજા આરતી તેમજ સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ સમારંભના ભોજન સમારંભ ના દાતા નિતેશકુમાર ધીરજલાલ દેસાઈ તેમજ દેસાઈ પરિવાર વીજપડી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું.


