એસબીઆઈ આરસેટી જૂનાગઢ ખાતે સર્વ શિક્ષા અભિયાન અને પી.એસ.એસ. કેન્દ્રિય વ્યવસાહિક શિક્ષણ સંસ્થા, ભોપાલ દ્વારા તા.૨૨ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન વ્યાવસાયિક શિક્ષણ માટે રોજગારી કૌશલ્ય વિશે જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના ૫૫ જેટલા શિક્ષકોને માહિતગાર કરાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એચ.વાઢેર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્થાનું ભૌતિક અને શૈક્ષણિક વાતાવરણ ખૂબ જ પ્રભાવિત લાગ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાઇમરી અને માધ્યમિક શિક્ષણમાં વિકાસ કાર્યોને લઈને માહિતી આપવામાં આવી હતી.


