Gujarat

ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી ઝડપ અંગે કર્યો ઉલ્લેખ

પૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ તેમના પુસ્તકમાં લદ્દાખની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સેનાના ૨૦ જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે તે સમય તેમની કારકિર્દીના સૌથી દુઃખદ દિવસો પૈકીનો એક હતો. ચીન અંગે પૂર્વ ચીફએ કહ્યું કે શી જિનપિંગ ૧૬ જૂન ૨૦૨૦ની તારીખ ભૂલી શકશે નહીં, જ્યારે બે દાયકામાં પ્રથમ વખત ચીની સેનાએ ઘાતક વળતો હુમલાનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે કહ્યું કે ભારતીય સેનાએ બતાવ્યું છે કે બસ! બહુ થયું હવે.. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેએ કહ્યું કે ચીન તેના નાના પડોશીઓને ડરાવવા માટે આક્રમક કૂટનીતિ અને ઉશ્કેરણીજનક રણનીતિ અપનાવી રહ્યું છે અને આ જ કારણ છે કે ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીને તેની તાકાત બતાવી હતી, ચીન અંગે પૂર્વ ચીફએ કહ્યું કે શી જિનપિંગ ૧૬ જૂન ૨૦૨૦ની તારીખ ભૂલી શકશે નહીં ભૂતપૂર્વ વડાએ ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની નામની તેમની આત્મકથા લખી છે અને તેમાં તેમણે ગલવાન ખીણની ઘટના વિશે વિગતવાર ચર્ચા કરી છે. જૂન ૨૦૨૦માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.. આ ઘટનામાં ભારતીય સેનાના ૨૦ જવાનો શહીદ થયા હતા.

ભૂતપૂર્વ વડાએ આ ઘટના પર તેમના પુસ્તકમાં લખ્યું કે, તે મારી સમગ્ર કારકિર્દીના સૌથી દુઃખદ દિવસોમાંથી એક હતો. નરવણે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦થી ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધી ભારતીય સેનાના વડા હતા. નરવણેના કાર્યકાળ દરમિયાન ચીન દ્વારા અનેક પડકારો સામે આવ્યા હતા. આ જ કારણ હતું કે ભૂતપૂર્વ ચીફ જનરલ નરવણેનો મોટાભાગનો કાર્યકાળ વિવાદિત સરહદો પરના પડકારોનો સામનો કરવામાં પસાર થયો હતો. તેમણે સરહદી વિસ્તારોમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. સેના માટે નવી વ્યૂહરચના નક્કી કરવામાં આવી અને સીમા સુરક્ષા પર પણ વધુ ભાર આપવામાં આવ્યો હતો.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *